SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ [૪] . જયાં જયાં વિચરતા હતા, ત્યાં જિજ્ઞાસુઓને સમુદાય જમા થઈ જતે હતે. આ ભારતીય તત્ત્વચિંતકના સાનિધ્યે જાણે તેઓની આધ્યાત્મિક ભૂખ ભાંગી રહી હતી. પૂ. મુનિશ્રીએ તેમના સંદેશામાં જણાવ્યું હતું: “આ ભૌતિક જીવન તેની સંકુલતાથી ઘણીવાર આપણને મૂંઝવી દે છે. આપણે જીવનને સમજવા અને બધી વસ્તુ સ્પષ્ટપણે નિહાળવા ઈચ્છતા હોઈએ છીએ. પણ આપણે તે પામી શકતા નથી. આનું કારણ એ છે કે આધુનિક જીવન વિસવાદથી ભરેલું છે. આપણે વિકાસ વાંછીએ છીએ અને પીછેહઠ કરતા રહીએ છીએ. માનવી જાણે એક કદમ આગળ વધતું જાય છે અને બે કદમ પાછળ પોતે દેખાય છે. આપણે યુગ એક તરફ ગાંધીને તે, બીજી તરફ હિટલરને પેદા કરી શકે છે. આજે પણ એક તરફ શાંતિવાદીઓને પાર નથી, તે બીજી બાજુ યુદ્ધ પણ અંત નથી, શાંતિની વાતે વધુ પ્રમાણમાં થાય છે, અને યુદ્ધ માટેની તૈયારીઓ પણ તડામાર ચાલી રહી છે, લેકે કહે છે કે વીસમી સદીમાં જ્ઞાનને ફેટ થયું છે. જ્ઞાનના આ ફેટ સાથે શાણપણના થેડા ઝબકારા પણ. આપણે જોઈ શકતા હતા તે કેવું સારું !” “માનવી પિતાની સમક્ષના વિકલ્પ જાણે છે. તેણે કાં તે શાંતિ અને ભાઈચારાની અથવા અરાજક અને વિદેશ વચ્ચે પસંદગી કરવાની છે. તેણે કાં તે ટકી રહેવા માટે મરણિયે પ્રયાસ કરવાનું છે. આત્મઘાતક સંઘર્ષમાં ઝંપલાવવાનું છે. જિલદી ઘટના બતાવે છે કે આપણે ખોટી પસંદગી કરી રહ્યા છીએ. હિંસા વધી રહી છે. માનવીના મનમાં હિંસા આટલી કેમ સ્થાન કરી રહી છે? અજ્ઞાન, ભય, પૂર્વગ્રહ અને સત્તા તેમજ સંપત્તિની લાલસા-એ બધાને એ આભારી છે.” દૃષ્ટિની વિશાળતા વિનાનું જ્ઞાન અધૂરું છે. આપણું અર્ધદગ્ય જ્ઞાન આપણને કટ્ટર અને ધમધ બનાવે છે. જીવન પ્રત્યે જ અભિગમ ધરાવનારને પણ યથાર્થ દષ્ટિબિંદુ હોઈ શકે છે તે સ્વીકારવાને આપણે ઈનકાર કરીએ Jain Education International For Private & Personal use only. Ww.jainenbrary.org
SR No.004921
Book TitleChitrabhanuji no Ahimsa ane Anekant no Sandesh
Original Sutra AuthorN/A
AuthorKantilal N Shah Mumbai
PublisherKantilal N Shah Mumbai
Publication Year1972
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy