________________
[૧૯]
એના મૂળમાં અહિંસાના સિદ્ધાંત રહેલા છે.
બધા જ ધર્મોની તેમ બધુભાવની, પ્રેમની લાગણીને પોષવાની છે. સવાદ અને શાંતને ઉત્તેજન આપવાની છે. પ્રેમની આ લાગણી કેવળ માનવપ્રાણી તરફ જ નહિ, સર્વ જીવંત પ્રાણીઓ તરફ પણ વિસ્તરવી જોઇએ.
આપણે જો શાંતિ અને સંવાદ ઈચ્છતાં હોઈએ તો આપણે જીવનનાં સ સ્વરુપો તરફ આદરથી જોવુ જોઇએ, આલ્બર્ટ સ્વાઇટઝરે કહ્યુ છે તેમ ‘જીવન માટે આદર’ ની ભાવના આપણે કેળવવી જોઇએ. વનસ્પત્યાહારમાં અન્ય પ્રાણીઓના અધિકાશને માન્ય રખાયા છે. માનવીએ પોતાના ખારાકના માત્ર સ્વાદની દૃષ્ટિથી જ વિચાર કરવા ન જોઇએ, કસાઈની છુરીની રાહ જોતાં ઊભેલાં પ્રાણીઓની યાતનાના પણ તેણે વિચાર કરવા જોઇએ. પાતના લાભ ખાતર પ્રાણીઓનું શેષણ કરવું, પાતના ખારાક માટે તેમની હત્યા કરવી ને ત્રાસ ગુજારવા એ માનવીના કોઈ વિશેષાધિકાર છે એમ માનવું જોઇએ નહિ. ઉલટાનું, આ જગતમાં માનવી જે સ્થાન ભોગવે છે, તે દૃષ્ટિએ જોતાં પ્રાણીઓના કલ્યાણુ વિશે દેખભાળ રાખવી એ તેની ફરજ બની રહે છે
શાંતિ મેળવવી હાય તો આપણે હિંસા અને ક્રૂરતા તજવાં જોઈએ. આપણે વિશ્વશાંતિ વાછતાં હાઈએ, તે નિઃશસ્ત્રીકરણ માટેની પરિષદો પર્યાપ્ત નથી, એકલેા પાત્રીસ હિંસા પર નિયંત્રણા ન મૂકી શકે. આપણે આપણા રાજીદા જીવન વ્યવહારમાં એ નિયંત્રણ મૂકવુ જોઈએ.
શારીરિક અને માનસિક ટેવા બદલવી મુશ્કેલ છે. પણ માનવજાતની પ્રગતિ આવાં પરિવર્તન પર નિર્ભર રહે છે. વનસ્પત્યાહાર પણ વિકાસનુ એક આવું સાપાન બની શકે. માનવીના નૈતિક અને આધ્યાત્મિક વિકાસમાં એ એક વળાંક બની શકે.
આપણે જે ખારાક લઈએ છીએ તેની માત્ર શારીરિક અસર છે એમ આપણે માનીએ છીએ. આ ખાટું છે. ખારાકની મન પર પણ અસર થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org