SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ [1] “માનવી જ પિતાના ભાગ્ય વિધાતા છે, ઈશ્વર નહિ, એમ જણાને પૂ. મુનિશ્રીએ હકીક્ત તરફ શ્રોતાઓનું લક્ષદર્યું હતું કે ઈશ્વરને જગતભરમાંથી ગમે તેટલી પ્રાર્થનાઓ કરવામાં આવે પણ તેથી વિયેટનામના યુદ્ધને અત નહિ આવે. પણ પ્રમુખ નિકસનના એક શબ્દ માત્રથી એ યુદ્ધને અંત લાવી શકે છે. માનવીની આ સત્તા તે જુઓ ! માનવી જ બ્રહ્માંડને અધિષ્ઠાતા છે. તે થાપી શકે છે. ઉથાપી શકે છે... હકીકતને આપણે સ્વીકાર ન કરીએ તે નુકસાન આપણને જ છે. માનવી એ શક્તિશાળી બન્યું છે કે તે જગતનું શાસન કરે છે. માનવને પરિપૂર્ણ માનવ બનાવે એ જ જૈન ધર્મનું લક્ષ્ય છે. સમતુલા અને ગૌરવથી આનન્દની અનુભૂતિ કરવાની અને આસપાસના આત્માઓને એના સહભાગી બનાવવાની શક્તિની પ્રાપ્તિને કેળવણી કહેવાય. આવી કેળવણી આ વિશ્વવિદ્યાલયે માનવને આપી છે અને તે દેખાય છે કે આ કેળવણીએ રેસમાં દોડતા ઘેડાની જેમ માણસને પણ સમૃદ્ધિની સ્પર્ધામાં દોડતે કર્યો છે. માનવી દેડી રહ્યાં છે-હો ઊંચે જોવાનીય કુરસદ નથી. આ રેસ કેટલી ટૂકી છેતે કેલેન્ડરે ફેરવે ત્યાં તે રેસ સમાપ્ત, અને તે પણ કયાં? આ ભૌતિક સફળતાની રેસની સમાપ્તિ સ્મશાનમાં! આમાં અમૃતત્વનું દર્શન કયાં છે? પ્રેમના પ્રકાશની પ્રાપ્તિ કયાં છે! આધ્યાત્મિકતા એટલે જીવનમાં સ્વમાં આનંદ અને પ્રેમની સમૃદ્ધિનું દર્શન કરવું અને એની જ અભિવૃદ્ધિ માટે આ ભૌતિક સાધનેને માત્ર સાધન તરીકે સદુપયેગ કર.. પૂ. મુનિશ્રીએ જણાવ્યું હતું કે જેને ઈશ્વરને “માર્ગદર્શક ગણે છે, સર્જકે નહિ. ઈશ્વરના પ્રકાશને તમે અનુસરશે તે તમે પાપના ખાડામાં પડતા બચી જશે. સંયમિત જીવન ગાળવા માટે નિતિક જવાબદારીનું ભાન જરૂરી છે. કર્મનો સિદ્ધાંત આવી જવાબદારી પ્રેરે છે. કર્મવાદ માનવીને બેટે માગે ચડવા દેતું નથી. તે તેના પિગલાં ને સ્થિરતા આપે છે અને તેના જીવનને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004921
Book TitleChitrabhanuji no Ahimsa ane Anekant no Sandesh
Original Sutra AuthorN/A
AuthorKantilal N Shah Mumbai
PublisherKantilal N Shah Mumbai
Publication Year1972
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy