SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૬ ] સતેાષવા માટે તે હિંસા આચરતાં અચકાશે નહિ. “ કયારેક ભય પણ માનવીને અહીન નૃત્યો કરવા પ્રેરે છે. કેટલાક લેાકા માને છે કે પરસ્પર ભયથી શાંતિ જળવાય છે. રાષ્ટ્રો અને પ્રજાએ વચ્ચે શાંતિની બાહેધારીને એક માર્ગ સત્તાની અને ભયની સમતુલા જાળવવાના છે એમ તેઓ કહે છે. ભય એ કશુક નકારાત્મક છે. કાયમી હાય તેવી શાંતિ તેમાંથી પ્રગટી શકે નહિ. 'દૂકના નાળચામાંથી શાંત ન આવે, તેમાંથી તેા ગાળીએ જ છૂટે.” “જગતની વર્તમાન પરિસ્થિતિ પર દષ્ટિપાત કરતાં એવા નિર્દેશ સાંપડશે કે વિશ્વશાંતિના આપણા ધ્યેયને આપણે ટૂંકમાં જ સિદ્ધ કરી શકીશું, અને હિંસાના અંત લાવી શકીશું,” ረ નિઃશસ્ત્રીકરણ માટેની પરિષદો મળે છે. શાંતિ માટેની ચેષ્ટાએ દર્શાવાઈ રહી છે. આપણે શાંતિના ચાહકો હાવાનુ જાહેર કરીએ છીએ પણ એ શું આપણી પરિસ્થિતિમાં કોઈ પરિવર્તન આણશે? માનવીના મનમાં જ જયાંસુધી દુશ્મનાવટ અને હિંસા ભરેલાં હશે ત્યાં સુધી સરકારો આજે કશુ જ કરી શકશે નહ. જાહેર લેાકમત અને જાહેર વલણામાં આપણે પરિવર્તન આણી શકીએ નાડુ ત્યાં સુધી તેઓ કશું જ કરી શકે નહિ. જાહેર લેાકમત એટલે શું ? - જાહેર વલણા એટલે શુ? એ કોણ ઘડે છે? જાહેર લોકમત એ તમારા મતથી અને મારા મતથી ઘડાય છે. જાહેર વલણેા એ તમારા અને મારા જેવા લોકોના વલણા છે. આપણે આપણાં અભિપ્રાયો અને વલણા બદલવાનાં છે. લોકોને પરિસ્થિતિ વિશેની બૌદ્ધિક સમજદારી હાય એટલુ જ પૂરતું નથી. જ્ઞાનની સાથે અતરની પ્રતીતિ પણ હાવી જોઈએ. જ્ઞાન અંતરમાં ઉતરવુ જોઇએ. એક માણસ સતાને, જ્ઞાનીઓને સાંભળે, ધર્મ ગ્રંથોનુ” પઠન પણ કરે, પણ આ જ્ઞાનથી તેના અતરના તાર રણઝણી ઊઠે નહિ ત્યાં સુધી બધું નિરર્થક.” ። અહિંસાની જરૂર વિશેની આપણી સમજદારાની સાથેસાથ સ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.004921
Book TitleChitrabhanuji no Ahimsa ane Anekant no Sandesh
Original Sutra AuthorN/A
AuthorKantilal N Shah Mumbai
PublisherKantilal N Shah Mumbai
Publication Year1972
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy