SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણવંતો ગજપદકુંડ ત્રણ ભુવનની સરિતાતણા, સુરભિ પ્રવાહને ઝીલતાં, જે જલ ફરસતાં આધિ-વ્યાધિ, રોગ સૌના ક્ષય થતાં, જે જલ થકી જિન અર્ચતા, અજરામરપદ પામતાં, એ ગિરનારને વંદતા, પાપો બધાં દૂરે જતાં... સૃષ્ટિના શણગાર સ્વરૂપ શ્રીપુર નામનું નગર હતું. તેમાં શૌર્ય અને શૂરવીરતાની મૂર્તિ સમાન પૃથુ નામનો ક્ષત્રિય રહેતો હતો. તેને રૂપસુંદરીના અવતાર સમાન ચન્દ્રમુખી પત્ની હોવા છતાં જેમ ચન્દ્રમાં પણ કલંક હોય તેમ કમનશીબે અત્યંત દુર્ગધથી ભરેલી દુર્ભાની એવી દુર્ગધા નામની તેની પુત્રી હતી. કર્મની વિચિત્રતાના બળે દુર્ગધાની ચિંતાથી સતત ચિંતીત એવો પૃથુ ઠેરઠેર પોતાની પુત્રીયોગ્ય પતિની શોધમાં રખડતો હતો, પરંતુ કોઈ તેનો હાથ ઝાલવા તૈયાર ન હતું. કેટલાંક સમયબાદ સોમદેવ નામના એક પુરુષ સાથે તેનું પાણિગ્રહણ થયું પરંતુ દુર્ગધાના દેહમાંથી સતત વહેલી દુર્ગધથી ત્રાસી ગયેલો સોમદેવ રાત્રીના સમયે અત્યંત ગુપ્ત રીતે તેનો ત્યાગ કરીને ભાગી છૂટે છે. દુર્ભાગી દુર્ગધા પતિથી તિરસ્કાર પામતાં માતાપિતા અને પરિવારજનો દ્વારા પણ તિરસ્કાર પાત્ર બની ગઈ. કર્મથી જ તિરસ્કાર પામેલાને કોણ વાત્સલ્ય આપે? ચારે તરફથી સતત હડધૂત થતી દુર્ગધા અત્યંત ઉદ્વિગ્ન બની અશુભકર્મોનો ક્ષય કરવા સ્વગૃહનો ત્યાગ કરી તીર્થધામોની યાત્રાએ ચાલી નીકળી. અનેક હિન્દુ તીર્થધામોની સ્પર્શના કરવા છતાં હજુ તેનો કર્મબોજ હળવો થતો નથી તેથી જીવવાની હિંમત હારી ચૂકેલી તે મરણને શરણ થવાના પ્રયાસો આદરી સમુદ્રમાં ઝપાપાત કરી મૃત્યુને ભેટવા નીકળે છે. અટવી પસાર કરવા જતાં માર્ગમાં એક તાપસમુનિને જોઈને નમસ્કાર કરે છે ત્યારે તે પણ તીવ્રદુર્ગધથી ગંધાતી દુર્ગધા પ્રત્યે દુર્ભાવ કેળવી વિમુખ થાય છે ત્યારે દુર્ગધા પોતાની જાત ઉપર ફીટકાર-તિરસ્કાર તે તાપસમુનિને કહે છે, મહાત્મા!. આપના જેવા રાગહીન પણ જો મારાથી વિમુખ થશે તો આ જગતમાં મારે હવે કોનું શરણ સ્વીકારવું? મારા આ પાપની શુદ્ધિ કેવી રીતે થશે? ” તાપસ કહે છે “હે બાળા! આ વનમાં મારા ગુરૂ કુલપતિ છે. તેમની પાસે જઇ તારા દુઃખની વાત કરી તેઓશ્રી તારી ================ ==== કાકા છે જોકે SATPANલાલ (A ) US Jain Education Intemational For Private & Personal use only www.janelibrary.org
SR No.004918
Book TitleChalo Girnar Jaie
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherGirnar Mahatirth Vikas Samiti Junagadh
Publication Year2008
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy