SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ આ મણિરત્નમય મૂર્તિનો આગ્રહ છોડી દે અને બ્રન્દ્ર દ્વારા રત્ન-માણિક્યના સાર વડે બનાવાયેલ સુદ્રઢ, વિજળી, વાવાઝોડાં, અગ્નિ, જલ કે લોખંડ, પાષાણ કે વજથી પણ અભેદ્ય, મહાપ્રભાવક એવી આ પ્રતિમાને ગ્રહણ કરી. આટલું કહી દેવીએ બાર યોજન દૂર સુધી પ્રકાશિત થતા તેજોમય મંડલને પોતાની દિવ્યશક્તિ વડે પાછું ખેંચી લઇ સામાન્ય પાષાણ જેવી તેજોમય પ્રભા વિનાની પ્રતિમા બનાવીને કહ્યું, “હવે આ મૂર્તિને કાચા સુતરના તાંતણા વડે બાંધીને આજુબાજુ કે પાછળ જોયા વગર સડસડાટ લઈ જા! જો માર્ગમાં ક્યાંય પણ વિરામ કરીશ તો આ બિંબ તે જ સ્થાનમાં સ્થિર થઈ જશે.” રત્નશ્રાવકને આ પ્રમાણે સુચના કરી અંબિકાદેવી સ્વસ્થાને પાછા ફર્યા. અંબિકાદેવીની અસીમ કૃપાબળે મેળવેલ પ્રતિમાને લઇ રત્નશ્રાવક દેવીના આદેશ મુજબ આજુબાજુ કે પાછળ જોયા વગર અખ્ખલિત ગતિવડે કાચા સુતરના તાંતણા વડે બંધાયેલ આ બિંબને જાણે કે, રૂનું પુમડું ઉપાડ્યું ન હોય તેમ આ જિનબિંબને જિનાલયના મુખ્ય દ્વાર સુધી લાવે છે, તે અવસરે વિચારે છે કે જિનાલયમાં રહેલ પૂર્વની લેપમય પ્રતિમાને ખસેડીને અંદરની ભૂમિને પ્રમાર્જીને જ્યાં સુધી સાફસુફ ન કરું ત્યાં સુધી આ નવા જિનબિંબને અહીંજ મુકી રાખું. પ્રાસાદની અંદર સાફસુફી કરીને બહાર આવીને રત્નશ્રાવકે જ્યાં નવા બિંબને અંદર લઈ જવાનો પ્રયાસ કર્યો ત્યાં જ તે પ્રતિમા તે જ સ્થાને મેરૂપર્વતની જેમ કરોડો મનુષ્યથી પણ ચલાયમાન ન થઈ શકે તે રીતે અડગ થઈ જાય છે, આ અવસરે રત્નશ્રાવક ચિંતાતુર બનીને ચારેય આહારપાણીનો ત્યાગ કરીને ફરી અંબિકાદેવીની આરાધનામાં મગ્ન બની જાય છે. નિરંતર સાત દિવસના ઉપવાસને અંતે અંબિકા દેવી પુનઃપ્રગટ થઈને કહે છે. “હે વત્સ! મેં તો તને પૂર્વે જ કહ્યું હતું કે, માર્ગમાં ક્યાંય વિરામ કર્યા વગર આ બિંબને લઈ જઈને પધરાવજે! ફોગટ પ્રયાસ કરવાનો કોઈ અર્થ નથી. હવે કોઈ પણ રીતે આ પ્રતિમા ખસી શકશે નહીં. હવે આ પ્રતિમાને યથાવત્ રાખી પશ્ચિમાભિમુખ દ્વારવાળો પ્રાસાદ કરાવી અન્ય તીર્થોમાં તો ઉદ્ધાર કરનારા બીજા ઘણા મળશે, પરંતુ હાલ તો આ તીર્થનો ઉદ્ધારક તું જ છે તેથી તેમાં કોઈ વિલંબ ન કરી આ પ્રમાણે સુચન કરી અંબિકાદેવી અંતર્ધાન થાય છે, ત્યારે રત્નશ્રાવક પણ તેના સુચન મુજબ પશ્ચિમાભિમુખ પ્રાસાદ કરાવે છે. સકળ સંઘ સાથે હર્ષોલ્લાસ પૂર્વક પ્રતિષ્ઠા મહોત્સવ કરાવે છે જેમાં આચાર્યો વડે સૂરિમંત્રોના પદોથી આકર્ષિત થયેલા દેવતાઓ તે બિંબ અને ચૈત્યને અધિષ્ઠાયકયુક્ત બનાવે છે, રત્નશ્રાવક અષ્ટકર્મનાશક અષ્ટપ્રકારી પૂજા કરી, H arirrit TET/TATI Jain Education International For Private & Personal use only www.jamenbrary.org
SR No.004918
Book TitleChalo Girnar Jaie
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherGirnar Mahatirth Vikas Samiti Junagadh
Publication Year2008
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy