SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ ક૭ પ. વીરવિજ્ય. બે શિષ્ય હતા અને વીરવિજય તે ત્રીજા. વીરવિજયે ગુરૂની ભક્તિવૈયાવચ્ચ અપૂર્વ ભાવથી કરી, અને અભ્યાસ પણ સતત કરી પંચકાવ્ય, છદર્શન, આગમાદિ અવલેક્યાં. ભાણુવિજય ગુરૂઆજ્ઞાથી ગ્રામાંતર વિહર્યા, જ્યારે ખંભાતમાં શુભવિજય ગુરૂ અને ધીર તથા વીર બને શિષ્ય રહ્યા. અત્ર વીરવિજયે સં. ૧૮૫૮ માં શુલિભદ્રની શિયલેવેલ તેમજ અષ્ટપ્રકારી પૂજા પદ્યમાં રચી ધીરવિજય ત્યાં ખંભાયતજ રહ્યા અને શુભવિજય વિરવિજય-ગુરૂશિષ્ય (લુહાર) ની પિળમાં ઉતર્યા. ત્યાંથી વટપદ્રમાં (વડોદરામાં) જઈ સૂત્રના ગ સંઘસમક્ષ વહેવરાવ્યા, અને વીરવિજયએ ગુરૂને પંન્યાસપદ આપ્યું. ચેગ વહીને સૂત્રનું વાંચન~વ્યાખ્યાન થાય એ જિનાજ્ઞા અનુસાર હવે વીરવિજય તેના અધિકારી થયા. અત્ર શુભવિજય સં. ૧૮૬૦ ના ફાગણ સુદ ૧૨ ને દિને સ્વર્ગવાસ પામ્યા. વીરવિજયે ઉપદેશ આપી સંઘને વિહારની ઈચ્છા જણાવી નીકળ્યા. લીબડી, વઢવાણ, જઈ સુરત શહેરમાં આવ્યા. સુરતના સંઘે ઘણું આડંબર પૂર્વક તેમનું સામૈયું કર્યું. તે જોઈ ત્યાં રહેનારા જતિએ કકળ્યા અને તેમણે તીથિને ઝગડો ઉત્પન્ન કર્યો. આ વખતે સુરત ઉપર પીવાળા (અંગ્રેજ) નું રાજ્ય હતું. ત્યાં વાત જતાં તિઃશાસ્ત્રના પ્રમાણે વીરવિજયે ખુલાસો કરતાં અંગ્રેજે જેશીને બોલાવી અને તેને પૂછતાં વીરવિજયનું કથન સત્ય લાગતાં જતિઓને દંડ્યા અને ત્યારપછી શાંતિ જળવાઈ. પછી અમદાવાદ આવ્યા ત્યાં ભકીની પોળમાં જગા લઈ લાલભાઈ કીકુ વગેરેએ પિષધશાળા કરાવી અને ત્યાં વિરવિજય ગુરૂને પધરાવ્યા. અહીં સં. ૧૮૭૮ માં ઢંઢક સાધુઓએ પ્રતિમાનું ઉત્થાપન કર્યું અને તેના વાદમાં ઉતર્યા. કલેશ વધે, વાત સરકાર-દરબાર ચડી. ભુજથી આણંદ શેખરજી આવ્યા, અમદાવાદમાં ખુશાલવિજય અને માનવિજય હતા, બેડેથી દલિચંદજી લબ્ધિવિજય સાથે આવ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy