SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ રાસસાર. પછી એક મહેટી માંડવી બનાવી અને તેને જરી કસબ વિગેરે અનેક પ્રકારનાં બહુમૂલ્યવોથી સજજ કરીને તેમાં સૂરિજીના શબને પધરાવી બહાર લઈ જવામાં આવી. તે વખતે સેના રૂપાના કુલે ઉછાળવામાં આવ્યાં. ઝવેરીવાડા સુધી ઘણા લેકેએ વધાવ્યા, પૂજા કરી અને અંતિમ દર્શન કર્યા. ત્યાર બાદ પૈસા વિગેરે ઉછાળતાં ઉછળતાં ગામના મુખ્ય બજારમાં થઈ રમશાન ભૂમિમાં તેમને લઈ જવામાં આવ્યા. તે વખતે સાથે લગભગ બે હજાર માણસે હતાં, અનેક પ્રકારના વાજિંત્રો વાજતાં હતાં અને સાથે નગર રક્ષક કેટવાલ પણ પિતાના લવાજમા સાથે ચાલતું હતું. રસ્તામાં પણ ઠેકાણે ઠેકાણે હજારે લેકેની ઠઠ જામી હતી. સ્મશાન ભૂમિમાં પંદર મણ સુખડની મહેટી ચિતા રચી તેના ઉપર માંડવી મૂકી. ચિતામાં સવામણુ અગર, પાંચ શેર કપૂર ઉપરાંત અંબર, કસ્તુરી અને ચૂએ વિગેરે પદાર્થો નાખવામાં આવ્યાં હતાં. તે પછી શબના મુખમાં સેના નાણું મૂકી, દૂધની ધારા દઈ, “નમે અરિહંતાણું” ગણી, સંઘ જનેએ અગ્નિસંસ્કાર કર્યો. પછી શ્રાવકવર્ગ પાછે ઉપાશ્રયે આવ્યા. ત્યાં વૃદ્ધિસાગરસૂરિ સાથે દેવવંદન કરી સૂરિના ગુણ સ્મરણ કરતો અને વિદ્યમાન આચાર્યને શેક શમન કરાવતે પિતાપિતાના સ્થાનકે ગયે. આ રાસ કૃપાસાગરના શિષ્ય તિલકસાગરે ર છે. રચ્યાની સાલ આપવામાં આવી નથી પરંતુ જે પ્રતિ ઉપરથી આ રાસ મુદ્રિત કરવામાં આવ્યો છે તે પ્રતિ સં. ૧૭૨૨ ની લખેલી હોવાથી, અર્થાત્ રાસનાયકના નિર્વાણ પછી, તેજ વર્ષે લખાયેલી હોવાથી, એની રચના પણ, સૂરિના નિર્વાણ પછી તુરતજ–ચાર છ મહિના નામાં જ–થયેલી જણાય છે. - રાસની હસ્તલિખિત પ્રતિ પ્રવર્તક શ્રીકાંતિવિજયજી મહારાજના શાસ્ત્ર-સંગ્રહમાંથી જ પ્રાપ્ત થઈ હતી. પ્રતિ ઘણી જ ઉત્તમ રીતે અને મને હર લિપિમાં લખેલી છે. તેના એકંદર ૨૧ પત્રો હતાં. પ્રતિના અંતે લેખકે આ પ્રમાણે લખેલું છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy