SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૨ • ૬ રાણાજીએ સિંધના રણને પેલે પાર જવાનો વિચાર કર્યો. ત્યાં જઈશું, પરાક્રમ ફોરવીશું. સિંહ ને શૂરવીરો તો જ્યાં જાય ત્યાં ઘર કરે. સહુ તૈયાર થયા. મેવાડનો પ્રતાપી સૂરજ જાણે આથમવા બેઠો. ત્યાં એકાએક એક વૃદ્ધ સવાર ધસમસતો આવી પહોચ્યો. હતો તો વૃદ્ધ, પણ સાવજની જેમ ઘોડા પરથી ઠેક્યો. જઈને રાણાજીના પગમાં પડ્યો. રાણાજી કહે : ભામાશા, હવે અમે જઈશું. મેવાડનું ભાગ્ય અમારાથી નહીં બદલાવ. ભામાશા ગળગળા થઈ ગયા. બોલ્યાઃ મહારાજ, જન્મભૂમિને છોડી દેશો ? રજપૂતાઈને ચંડાવી દેશો ! શુદ્ધ ક્ષત્રિય લોહી શું હવે ચાલ્યું જશે ? શું મેવાડ ગુલામ બનશે ? છૂટકો નથી, ભામાશા ! હવે પાસે એક પૈસો પણ નથી. સૈન્ય ને દારૂગોળો ક્યાંથી લાવવો ? ૩૦ મહારાજ, મારું ધન એ આપનું ધન છે. આ તન, મન ને ધન આપના નામ પર કુરબાન છે. આ દેહની ચામડીના કહો તો જોડા સીવડાવું: પણ મેવાડને અનાથ કરશો નહીં. મારી તિજોરીમાં બાપદાદાઓએ એકઠું કરેલું ઘણું ધન છે. કેટલું છે મંત્રીરાજ ? પચીસ હજા૨ના સૈન્યને બાર વર્ષ ચાલે તેટલું. મહારાજ, સૈન્ય ભેગું કરો ને દેશને સ્વતંત્ર કરો. રાણા પ્રતાપ કહે, પ્રજાનું ધન મારાથી ન લેવાય. રાજા તો આપે. લઈ લે નહીં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004914
Book TitleKhemo Dedrani Veer Bhamashah
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy