SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ એક અમૂલ્ય અવસર લબિતણા ભંડાર આ પુસ્તકમાં ગૌતમસ્વામીની જીવનકથા છે. ગુરુ ગૌતમસ્વામી વિષે લખવાની પ્રેરણા કેમ થઈ ? જૈનધર્માવલંબી સાધકોને તેમના અનુષ્ઠાનમાં નીચેના પદનો ઉચ્ચાર કરવાનું સદ્ભાગ્ય હોય છે. અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર, શ્રી ગુરૂ ગૌતમ સમરીએ, વાંછિત ફળ દાતાર.” પ્રસંગોપાત આ પદનું રટણ થતું, ત્યાં યોગાનુયોગ ગૌતમસ્વામીનું ચિત્રપટ પ્રાપ્ત થયું. રોજ તેના દર્શન કરતાં, એક દિવસ એવો ભાવ જન્મ્યો. કે ગુરુ ગૌતમ વિષે કંઈક લખવું. વળી એકવાર પૂજય આચાર્યશ્રી કલાપૂર્ણ સૂરીશ્વરજીના વંદનાર્થે જતાં, આવા ગ્રંથલેખનના ભાવ જણાવ્યા. તેઓશ્રીએ જણાવ્યું જે કંઈ કરો તે નિસ્પૃહભાવે કરવું અને કોઈ શુભમુહૂર્વે આ લેખનનો પ્રારંભ થયો. આપણે સૌ જાણીએ છીએ કે માનવજન્મ પામીને પણ ધર્મ પામવો. દુર્લભ છે. જગતના સર્વ પદાર્થો ગતિશીલ છે પણ માનવજીવન તો ગતિશીલ છે અને પ્રગતિશીલ પણ છે. એ પ્રગતિનો પંથ જો અધ્યાત્મ પ્રેરક હોય તો માનવ જીવન મંગળમય બને છે અને સત્ ધર્મની પ્રાપ્તિ થાય છે, જેની ફલશ્રુતિ શાશ્વત સુખ છે. આપણા દેશના સંતો અને મહંતોએ મંગળમય જીવન જીવીને દુઃખ નિવારણનો ઉપાય શોધ્યો, તે દ્વારા તેઓએ સાચું સુખ પ્રાપ્ત કર્યું. વળી અન્ય સાધકોને તેના સાધનરૂપે અધ્યાત્મજીવનનો અમૂલ્ય વારસો નિસ્પૃહભાવે પ્રદાન કર્યો. એવા સર્વોત્કૃષ્ટ સુખનો વારસો આપણા ગુરૂ ગૌતમસ્વામીએ ભગવાન પાસેથી પ્રાપ્ત કરી, તેનો સ્ત્રોત આપણા જેવા ભવ્ય જીવો સુધી પહોંચાડયો.તે ગુર ગૌતમસ્વામી અનેકવિધ લબ્ધિઓથી સંપન્ન હતા. જો કે આપણને તેની વિશેષ હકીકત મળતી નથી. કારણ કે મહાત્માઓની પ્રણાલિ એ છે કે પોતાને પ્રાપ્ત લબ્ધિ આદિને ચમત્કારરૂપે પ્રગટ થવા ન દે. ગૌતમસ્વામીની લબ્ધિની વિશિષ્ટતા અલૌકિક હતી. તેમની વચનલબ્ધિનું રહસ્ય અદ્ભૂત હતું. તેમના ઉપદેશને ગ્રહણ કરી જીવો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy