SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ લબ્ધિ તણા ભંડાર રૂપી કર્મો કેવી રીતે લાગે ? માટે કર્મ નથી એમ માને છે. બીજી બાજુ તું વેદપદો દ્વારા જાણે છે કે યજ્ઞો જેવાં કૃત્યોથી સ્વર્ગમાં જવાય ઇત્યાદિ. આમ વિરુધ્ધ વેદપદોથી તું મુંઝાય છે. પણ તું વેદપદોનો અર્થ બરાબર સમજયો નથી. વળી શાન અમૂર્ત છે, તે વાત સાચી કે બ્રાહ્મી, ધી, દૂધ જેવા પદાર્થો વડે બુધ્ધિની વૃધ્ધિ થતી જણાય છે, અને મદિરા કે ઝેર જેવા પદાર્થો વડે જ્ઞાન બુધ્ધિ હીન થતા જોઇએ છીએ. માટે અમૂર્ત પણ મૂર્ત દ્વારા લાભાહન પામે છે. અરૂપી એવા આકાશમાં કેટલાય રૂપી પદાર્થો જગા લઇને રહ્યા છે. તેમ અરૂપી આત્માના પ્રદેશ ઉપર કર્મોની રજો રહે છે. વળી ચેતનની પ્રેરણા ન હોય તેવી જડ વસ્તુ કર્મને ગ્રહણ કરી શકતી નથી. આત્મવૃત્તિ જયારે વિભાવ મલિન અવસ્થામાં હોય છે, ત્યારે તે કર્મને ગ્રહણ કરે છે અને તે પોતાના શુધ્ધ સ્વરૂપમાં રહે છે ત્યારે કર્મથી મુક્ત રહે છે. વળી તું આ જગતમાં જે ચારે બાજુ વિચિત્રતા જુએ છે તેનું કારણ શું છે ? મનુષ્ય ઇચ્છતો નથી છતાં તેને દુ:ખ, રોગ, શોક વગેરેની પ્રાપ્તિ થાય છે. વળી જન્મીને તરત જ બાળકે કોઇ દુષ્કૃત્ય કર્યુ ન હોવા છતાં એ બાળક જન્મથી રોગિષ્ટ હોય છે. વળી કોઇ જીવ ધનવાન હોય છે અને કોઈ જીવો દરિદ્ર હોય છે. એક સુખી, એક દુ:ખી, એકને ખાવા માટે પકવાન મળે છે, બીજાને સૂકા રોટલાના ફાંફાં હોય છે. એક રોગી, બીજો નીરોગી હોય છે. એકને સૂવા સુંવાળાં ગાદી-તકીયા હોય છે, બીજાને તૂટેલી ખાટ પણ મળતી નથી. જો કોઇ એમ કહે કે આ સર્વ તો ઇશ્વરની લીલા છે, અર્થાત્ સર્વનો નિયંતા ઇશ્વર છે; તો ઇશ્વર એટલે શુધ્ધ સ્વભાવ. તે કરુણા સાગર હોય છે. એને સુખ આપવાનો અને એકને દુ:ખ આપવાનો વિક્લ્પ તે કરે નહિ. અને ભગવાન કર્મ પ્રમાણે ફળ આપે છે એમ કહો, તો પણ કર્મ છે તેમ માનવું પડે. Jain Education International For Private & Personal Use Only ૫૧ www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy