SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ લબિ તણા ભંડાર પદાર્થો છે તેમ આત્મા છે કે નહિ? 'હે ઇન્દ્રભૂતિ ! ચૈતન્યસ્વરૂપ આત્માને વિજ્ઞાન, સંજ્ઞા, યુક્તિ અને લક્ષણોથી જાણી શકાય છે. પ્રભુના નિર્દોષ વાત્સલ્યયુક્ત શબ્દનું શ્રવણ, અમી ઝરતાં નયનોનું કરણામૃત, મુખકમળ પરની સરળતા અને સૌમત, જ્ઞાનપૂર્ણ અદૃશ્ય મહાસત્તાથી ઇન્દ્રભૂતિ પોતાની વાત અને અસ્તિત્વ વિસરી ગયા પણ પેલી વાણીના ગુંજારવથી વિચારવા લાગ્યા કે મારો સંશય તે જાણે છે એટલે જ્ઞાની લાગે છે. તેમના મનના વિરોધનો વંટોળ એકાએક શમી ગયો. ઇન્દ્રભૂતિ પ્રખર પંડિત હતા, વિજયી હતા. છતાં પોતે એક શંકામાં ગળકાં ખાતા હતા. જેનું સમાધાન પોતાને પ્રાપ્ત ન હતું, છતાં તેનું નિરૂપણ આ જ સુધી કરતા આવ્યા હતા. આખરે ભગવાનના વચનથી તેઓનું મને સંતુષ્ટ થયું કંઇ નિઃશંકતા અનુભવવા લાગ્યા અને સહસા તેમના મુખમાંથી ઉદ્ગાર નીકળી પડયા હા પ્રભુ! આપની વાત સત્ય છે ભગવાને કહ્યું તને એવી શંકા વેદના પરસ્પર વિરૂધ્ધ લાગતાં વાક્યોથી ઉદ્ભવી છે. મિત્રો સંબંધીઓ અને વિપુલ ધનનો ત્યાગ કર્યા પછી હવે બીજીવાર એ વસ્તુઓ મેળવવા શોધ કરી વ્યર્થ સમય ગુમાવીશ નહિ. " હે ગૌતમ ! એક ક્ષણનો પણ પ્રમાદ ન કર ૪૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy