SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ લબિ તણા ભંડાર અત્યાર સુધી મેળવેલી વિજયમાળાનું હવે કેવી રીતે રક્ષાણ થશે? આ દેશ પ્રદેશના સર્વવાદીને જીત્યા પછી આ એકાદ વાદી જીત્યો ન હોત તો શું લૂંટાઈ જવાનું હતું ? ખરેખર મને કસમયની આ કુબુધ્ધિ કયાં સૂજી આવી. યજ્ઞનાં કર્યો છોડી ક્યાં અહીં આવી ચઢયો? આમ ભારે મથામણમાં અને આકૂળતાથી ઘેરાયેલો વળી કંઇક સ્વસ્થ થઈ તે વિચારવા લાગ્યો, કે હવે આ પાર કે પેલે પાર થયા વગર છૂટકો નથી. બીજી બાજુ કરણસાગર ભગવાન મહાવીરને તો કોઈ શત્રુ-મિત્રનો કે વાદી-પ્રતિવાદીનો ભેદ જ ન હતો. તેમણે પોતાના અંતરંગ શત્રુઓનો સંપૂર્ણ પરાજય કર્યો હતો. સમસ્ત સૃષ્ટિ પ્રત્યે જેનો અપાર વાત્સલ્યભાવ હતો, ને પરમાત્માને કોઈની સાથે વિજય પ્રાપ્ત કરવાનો કોઈ વિકલ્પ હોઈ જ ન શકે. આવા સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં ઇન્દ્રભૂતિની વ્યર્થ મનોવ્યથા પ્રતિબિંબિત હતી. ઇન્દ્રભૂતિ મહાન વિદ્વજન હતો. એક માત્ર દૃષ્ટિ પરિવર્તનની જ આવશ્યકતા હતી. તેનો જાણે સમય પાકી ગયો હોય તેમ તે સ્વયં સામે ચાલીને આવી ગયો. પર્ષદામાં પહોંચતાં જ તેના મનમાં ભારે ઉથલ-પાથલ મચી હતી, ત્યાં તો તેના શ્રવણે ટંકાર થયો. હે ગૌતમ ગોત્રીય ઇન્દ્રભૂતિ ! પધારો. નિદ્રાધીન માનવ સફાળી જાગે તેમ ઇન્દ્રભૂતિ પોતાના નામ સંબોધનથી સાશ્ચર્ય પામ્યો. અરે ! આ તો મારું નામ જાણે છેને પણ વળી અહંકારે જતાં જતાં એક પ્રહાર કર્યો. મારું નામ આ પ્રદેશમાં આબાલવૃધ્ધ સૌ જાણે છે. તો પછી ગામેગામ ફરતો આ ભિલુક મારું નામ જાણે તેમાં શી નવાઈ ? જો તે મારી શંકાનું નિવારણ કરે તો તેને સર્વજ્ઞ માની શકાય. ત્યાં તો પરમાત્માએ પુન: મધુરવાણીથી કહ્યું, હે ઇન્દ્રભૂતિ ગૌતમ! પધારો. તમારા મનમાં એક શંકા છે કે, જગતમાં દૃશ્યમાન અને અદૃશ્યમાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy