________________
લબિ તણા ભંડાર ઉત્કટ બનતી ગઈ.
કેમ જાણે કોઈ ગૂઢ રહસ્ય તેને આકર્ષી રહ્યાં ઇન્દ્રભૂતિનું ભાવિ જ તેને ત્યાં ખેંચી ગયું હતું. ગૌત્તમના મનમાં અનેક વિકલ્પોનું ઘમસાણ માલતું હતું. ઇન્દ્રભૂતિ મહાવીર કરતાં વયમાં આઠ વર્ષ મોટા હતા. વળી શાસ્ત્રજ્ઞાનમાં પોતે તેમનાથી શ્રેષ્ઠ છે, તેમ તે માનતા હતા. વળી પોતે તો શિશુવયથી જ ત્યાગ તિતિક્ષાને માર્ગે હતા. બાળબ્રહ્મચારી હતા. આમ સર્વ રીતે ગુરુ થવાને પોતે યોગ્ય હતા.
મહાવીર તો નવયુવાન, ક્ષાત્રધર્મનો ત્યાગ કરી ત્યાગમાર્ગમાં આવ્યો હતો. ખાસ શસ્ત્રવિદ્યા તો તે જાણતો ન હતો. કોઈ ખાસ ક્રિયાકર્મ પણ સમજતો ન હતો. એટલે તેને જીતવો કંઈ કઠિન કાર્ય નથી
વળી અસંખ્ય દેવો અને માનવોને ભગવાનની દેશના સાંભળવા જતાં જોઈને તેમની વાતો સાંભળીને તે વિચારવા લાગ્યો કે, આ શો ચમત્કાર છે? આવી મોટી સંખ્યામાં દેવો અને માનવોને તેણે મંત્રમુગ્ધ કર્યા છે ? ખરેખર મોટો માયાવી હશે?
વળી તેણે સાંભળ્યું કે, તે તો સૌનાં મનમાં રહેલા સંશયોનું સમાધાન કરે છે, અને તેને પણ એકાએક સ્મૃતિ થઈ કે મારા મનમાં પણ એક શંકા પડી છે. શું તેનું તે સમાધાન કરશે ? અત્યાર સુધી તેણે આ શંકાનું સમાધાન કોઈને પૂછયું ન હતું. વળી તેની સાથેના બીજા પંડિતો પણ કંઈને કંઈ શંકામાં અટવાયા હતા. લોકપ્રતિષ્ઠાને કારણે મનમાં મુંઝાતા હતા.
ઇન્દ્રભૂતિએ આજ સુધી કેટલાય પંડિતોને વાદમાં જીત્યા હતા, પણ ક્યારે તેના મનમાં આવી વ્યાકુળતા પેદા થઈ ન હતી. સંપૂર્ણ વિશ્વાસથી તે વાદવિવાદમાં જતાં, અને વિજયપતાકા લહેરાવીને આવતા પરંતુ આ વખતે તેનું ચિત્ત વિકલ્પોના કોલાહલથી આકુળ-વ્યાકુળ થઈ ઊડ્યું હતું
આખરે અગ્નિભૂતિને સમજાવીને તે બાર તિલકવાળો, સુવર્ણની જનોઈ યુક્ત, ઉત્તમ વસ્ત્રોમાં સજજ પાંચસો શિષ્યોના પરિવાર સહિત
૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org