SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ લબ્ધિ તણા ભંડાર ગૌતમ પામ્યા કેવળજ્ઞાન ગૌતમસ્વામી ઉંડા ચિંતનમાં ગરકાવ થઈ ગયા તેમ તેમ અંધકારના પડળ ખૂલતા ગયા. તેમણે વિચાર્યું કે મારી કલ્પના ખોટી હતી કે ભગવાનને મારા પર સ્નેહ હતો. પ્રભુ તો વારંવાર મને સમજાવતા હતાં કે મોક્ષમાર્ગમાં સ્નેહનો અતિ અલ્પ અંશ પણ બાધક છે. મારા સ્વરૂપને બાધક મારી જ મનોવૃત્તિ હતી. તેઓ તો વીતરાગ હતા. પછી તો ગૌતમસ્વામીના ચિત્ત પર ભગવાનની નિશ્રાના કેટલાય પ્રસંગો અંક્તિ થવા લાગ્યા, અને તેમને સ્પષ્ટપણે સમજાયું કે ભગવાન તો સંપૂર્ણ વીતરાગ હતા નિરાગી, નિઃસ્નેહી અને માધ્યસ્થ સ્વભાવવાળા હતા. મારા આત્મ કલ્યાણની વાત તેમના ઉપયોગથી બહાર ન હતી. પણ હું તેમની વાતનો સ્વીકાર કરતો ન હતો કે સ્વયં સતપુરષાર્થથી આત્મસિદ્ધિ પ્રાપ્ત થાય છે, અને તેથી મારી અંતર દૃષ્ટિ ખોલવા જ ભગવાને મને અત્યંત કરૂણા કરી અંતિમ સમયે દૂર કર્યો હતો. આ તેમની કઠોરતા ન હતી; પણ કરૂણાજ હતી. મારા અનુરાગથી મને એ વાત પ્રથમ સમજાતી ન હતી પણ સૂકમપણે વિચારતા એ વાત સત્ય છે તેમ મને સમજાતું જાય છે. શ્રી ગૌતમ સ્વામીનો વિલાપ - ૧ વર્ધમાન વચને તાદા, શ્રી ગૌતમ ગણધાર દેવશર્મ પ્રતિબોધવા, ગયા હતા નિરધાર- ૧ પ્રતિબોધી તે વિપ્રને, પાછા વળિયા જાય, તવ ને શ્રવણે સાંભળે, વીર લહ્યા શિવ ધામ- ૨ ધૂસકે પડ્યો તવ પ્રાસકો, ઊપયો ખેદ અપાર, વીર વીર કહી વલવલે, સમરે ગુણ સંભાર- ૩ પૂછીશ કોને પ્રમ હું ભંતે કહી ભગવંત, ઉત્તર કોણ મુજ આપશો, ગોયમ કહી ગુણવંત- ૪ અહો . પ્રભુ . આ શું કર્યું. દીનાનાથ દયાળ, એ અવસર મુજને તમે, ટાળ્યો દૂર કૃપાળ- ૫ ૧૭૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy