SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ લબ્ધિ તણા ભંડાર નિશ્ચયાત્મક યથાર્થ અને સ્વ-પર પ્રકાશક જ્ઞાન પ્રાપ્ત થાય છે. આવો જ્ઞાનનો પ્રકાશ થતાં જ સંસાર અને સંસારની માયા, પાપોત્પાદક, પાપવર્ધક, પાપફલક અને પાપપરંપરક જેવી લાગતા તે ભવ્યાત્મા પાપોની પ્રવૃત્તિનો સંપૂર્ણ ત્યાગ કરવા તત્પર થાય છે. તે પાપોના દ્વારા સર્વથા બંધ કરવાના ભાવ તેને થતાં તે દેશિવરત ધર્મમાંથી આગળ વધી સર્વવિરતિરૂપ નિધર્મનો સ્વીકાર કરે છે. પાપને માર્ગે પ્રસ્થાન કરતો અને પાપમૂલક પ્રવૃત્તિ કરનારો, એ જ આત્મા એક દિવસે પ્રતિ-આખ્યાન, પાછો વળે છે, અને અત્યાર સુધી કરેલા, કરાવેલા કે અનુમોદન કરેલા પાપોથી મુક્ત થાય છે. આ પ્રત્યાખ્યાન ધર્મ છે.” સામેના શત્રુની વ્યુહરચના, શસ્ત્ર, સામગ્રી યોદ્ધાઓની લડાયક શક્તિ જોઈને યુદ્ધ કરવાનું સાહસ કરે છે. તેવી રીતે પ્રબળ શત્રુ સમા અઢાર પાપસ્થાનકોની ઓળખાણ, તેમની શક્તિ મોહરાજાની ચાલ, ઈન્દ્રિયોનો વ્યુહ દરેકનું માપ કાઢી આત્મા તેની સામે બળવાન થઈ તેમનો પરાજય કરે છે.“ માણસના જીવનમાં ધાર્મિક્તા નથી હોતી ત્યારે ચારે સંજ્ઞાઓનું જોર વધવા લાગે છે, તેને નબળી કરવા ધર્મભાવના મુખ્ય છે. ધર્મના અનુષ્ઠાનોનો શરીર સાથે સંબંધ છે. અને આધ્યાત્મિક્તાને આત્મા સાથે સંબંધ છે. ૧૬૬ Jain Education International ધન્ય તે વેળા, ધન્ય તે નગરી, ધન્ય તે વેળાના માનવી રે......... For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy