SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ લબ્ધિ તણા ભંડાર પરમાવધિ કેવળજ્ઞાની તથા તદ્ભવ મોક્ષગામી હોવા છતાં ભગવાન મહાવીરે સર્વસંગ પરિત્યાગ કર્યો. વધતા પુરૂષાર્થ માટે સાડાબાર વર્ષનું મૌન સેવ્યું, અને કર્મની તીવ્ર નિર્જરા માટે ઉગ્ર તપશ્ચર્યા કરી અનિદ્રાપણે રહ્યા. માટે જે જીવ તરવાનો કામી છે તેણે સંસારની કામના તથા ભોગનો ત્યાગ કરવો આવશ્યક છે. વેદનાનું વેદન અનિચ્છાપૂર્વક છે? ગૌતમ : હે ભગવાન ! અમનસ્ક - મનવગરના જીવો જેવા કે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ કાયિકો તથા બે ઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉન્દ્રિય અને સંમૂચ્છિમો - જીવો સંસાર સમુદ્રમાં પરિભ્રમણ કરી રહ્યા છે, તેઓને કરેલા કર્મોને ભોગવવા પડે છે. તેઓ શું અનિચ્છાપૂર્વક વેદનાને વેદન કરે છે? ભગવાન : હે ગૌતમ ! પૃથ્વીકાયાદિ, એકેન્દ્રિયાદિ કે સંપૂચ્છિમ જીવોનું જ્ઞાનાવરણીય કર્મ પ્રબળ ઉદયવાળું છે. તેથી તેઓ તત્ત્વની અશ્રધ્ધાવાળા છે. વળી તેમને તીવ્ર મોહનીય કર્મનો ઉદય હોવાથી તેઓ મૂઢદશાવાળા છે. અર્થાત્ તેઓ અજ્ઞાનરૂપ અંધકારને કારણે કર્મોની જાળમાં ફસાયેલા છે. તેથી કર્મોની વેદનાનું વેદના અનિચ્છાએ કરવું પડે છે. ટૂંકનોંધ : તેઓને મનવાળા જીવો જેવું દ્રવ્ય મન નથી, પરંતુ તેમને સંજ્ઞારૂપ ઉપયોગની શક્તિ (મન) છે. એટલે તે વડે તેઓ મન વગરના હોવા છતાં વેદના, દુ:ખની ઈચ્છા ન હોવા છતાં, સુખદુ:ખની તીવ્ર વેદના ભોગવે છે. તેઓની જ્ઞાનશક્તિ અત્યંત આવરણવાળી હોવાથી શૂન્યવત્ છે. ટૂંકનોંધ : "જીવોને આવી અત્યંત દુઃખદાયક દશા પામવાનું કારણ શું છે? મનુષ્ય જેવા અવતાર પામીને સમ્યગદર્શન, જ્ઞાન કે ચારિત્રની ૧૪૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy