SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ લબ્ધિ તણા ભંડાર વળી ગૌતમસ્વામી સૌને પ્રભુના ગુણોનું તથા પુણ્યાતિશયોનું મહાત્મ્ય સમજાવતા હતા. ત્યાં તો તેઓ સમવસરણ નજીક આવી પહોંચ્યા. સૂકાં પાંદડાં આરોગી તપશ્ચર્યા કરનાર પાંચસોએક તાપસોએ પ્રભુના આ બાહ્ય પુણ્યાતિશયો જોયા તેની અલૌકિકતા નિહાળી, તેનું નિમિત્ત પામી તેઓના ભાવોની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ થતાં તેઓ પણ શુક્લધ્યાન પર આરૂઢ થઇ કેવળજ્ઞાન પામ્યા. હવે પછી વારો હતો ત્રીજા પાંચસોએક તાપસોનો જેઓ કંદમૂળ ખાઇને તપશ્ચર્યા કરતા હતા. ક્રમે કરીને તેઓએ સૌ ભગવાનના સમવસરણમાં પ્રવેશ કર્યો. પ્રભુના દર્શનના નિમિત્ત માત્રથી તેઓને કેવળજ્ઞાન પ્રગટ થયું. પ્રભુના નામનો, પર્યદાનો અને દર્શનનો મહિમા અવર્ણનિય છે. આ કાળના માનવીને આવું પુણ્ય ક્યાંથી મળે ? અને કથંચિત્ મળ્યું હશે ત્યારે સંસારની ઉપાદેયતામાં જીવ ક્યાંય રાચતો હશે. ધન્ય તાપસોને ન સ્થાન, ન કાળ કોઇનોય પ્રતિબંધ નહિં, શુધ્ધ નિમિત્ત અને ઉપાદાનની શુધ્ધિથી મોક્ષ પ્રગટ થયો. જેના કર્મોનું બીજ બળેલી સીંદરી જેવું થઇને રહ્યું છે, તેમને નિમિત્ત મળતાં નિજસ્વરૂપ પ્રગટ થઇ જાય છે. પરંતુ ગૌતમસ્વામી તો આત્મભાવનાયુક્ત મસ્ત યોગી હતા. તેમનું ધ્યાન પ્રભુમાં લીન રહેતું. તેમને ક્યાં ઉપયોગ મૂકવાનો અવકાશ હતો કે, આ તાપસો કેવો બોધ પામ્યા છે તે જાણું તો ખરો ! હવે આ સૌ ભગવાનના સિંહાસનની નજીક પહોંચ્યા હતા, એટલે ગુરુગૌતમે સૌને આશા કરીકે સૌ ભગવાનને વંદન કરી સાધુ સમુદાયની શ્રેણીમાં ગોઠવાઇ જાઓ. . પ્રભુ; “હે ગૌતમ ! તમે કેવળીની આશાતના ન કરો.” પ્રભુનાવચન તહત્તી ગણીને ગૌતમસ્વામી મૌન રહ્યા, અને સૌ તાપસોની ક્ષમા માંગી. સૌ તાપસો કેવળીની પર્ષદામાં ગોઠવાઇ ગયા. આટલા અલ્પકાળમાં તાપસો કેવળજ્ઞાન પામ્યા તો શું પોતે કરેલો ૧૧૭ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy