SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ લબ્ધિ તણા ભંડાર ગૌતમસ્વામી અને અતિમુક્તક તે કળે, તે સમયે ગ્રામાનુગ્રામ વિચરતાં ભગવાન મહાવીર સંઘ સહિત પોલાસપુર નગરમાં પધાર્યા. તેમની સાથે તેમના અનન્ય ભક્તિપરાયણ શિષ્ય ગૌતમ હતા. ભગવાન મહાવીર તો પૂજનીય અને સન્માનનીય હતા, પણ તેમનું કૃપામૃત પામીને ગૌતમ પણ જનસમાજમાં સન્માનનીય અને આદરણીય હતા. ગણધરોમાં મુખ્ય, હજારો શિષ્યના ગુરુ, સંઘના નાયક, લબ્ધિયુક્ત ગૌતમસ્વામીની પ્રતિષ્ઠા અદ્રિતીય હતી. ભગવાનની દેશના સાંભળવા આવતા રાજ, મહારાજાઓ, નગરપતિઓ અને પૂરો સંઘ સૌ ગૌતમસ્વામીને સન્માન આપતા પરંતુ તેઓ નિરહંકારિતાનો અજોડ આદર્શ હતા. ફળ બેઠાં પછી આંબો ઝૂકે, તેવું તેમના જીવનમાં ચરિતાર્થ થયું હતું. નાનાં મોટાં સૌની સાથે નિસ્પૃહભાવ છતાં વાત્સલ્યપૂર્ણ તેમનો વ્યવહાર જનમાનવ માટે સુલભ હતો. તેઓ શુધ્ધ ચારિત્રથી, પવિત્ર ગુણોથી રિદ્ધિ-સિદ્ધિઓ વડે મહાન હતા છતાં તેમની મહાનતા કોઈને તાપ ઉપજાવતી ન હતી પણ શીતળતા આપતી હતી. પરમાત્મા પ્રત્યેના તેમના અનન્ય અનુરાગે અહંકાર અદૃશ્ય થઈ ગયો હતો. કેવળ સરળ અને મૃદુ વ્યક્તિત્વ તેમનું સ્વરૂપદર્શન કરાવતું હતું. આવા ગૌતમસ્વામીના પરિચયમાં આવીને જીવો ધન્ય બની જાય તેમાં શું આશ્ચર્ય છે! ભગવાન અને ભક્તના આ યુગલનો જે નગરમાં વાસ હતો તે નગરનો રાજા વિજય હતો, તેને શ્રીદેવી નામે શીલવાન રાણી હતી. તેને એક અતિમુક્તક નામે સુકોમળ રાજકુમાર હતો. રાજ પરિવારમાં સૌને તેના પર અત્યંત સ્નેહ હતો. અતિમુક્તકના ગુણો પણ સૌને આકર્ષણ થાય તેવા હતા. ૧૦૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy