SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષોભ પામી ગયા, આમે તેમને વર્ધમાનની ત્યાગપદ્ધતિ પસંદ ન હતી. વર્ધમાને છે કર જોડી કહ્યું કે “ભાઈ ! મને સ્વતંત્ર કરો.' નંદિવર્ધન કહે “ભાઈ ! તું સ્વતંત્ર છું. માતાપિતા ચિરવિદાય થયાં. હવે તું ના રાજ્યનું પાલન કરવાને સમર્થ છું. આ વિશાળ વૈિશાલીના કડી રાજા ઉપર તારી આણ પ્રવર્તશે. વૈશાલી રાજાનો તું માનવંતો ભાણેજ છું. તને કોઈ જાતની પરતંત્રતા નથી. હું તને સ્વેચ્છાએ રાજ્ય સુપ્રત કરું છું.' વર્ધમાન વડીલ ભ્રાતાના આવા અગાધ અને નિઃસ્પૃહ સ્નેહ પાસે ક્ષણભર મૌન રહ્યા. પછી વંદન કરી તેમના ચરણ પાસે બેસી ગયા. એક નિર્દોષ બાળકની જેમ ભાઈ સામે જોઈ રહ્યા. આખરે તેમણે મૌન છોડ્યું. “વડીલબંધુ ! આપનો મારા પરનો સ્નેહ માતાપિતાની ખોટ લાવવા દે તેવો નથી. પણ મારી સ્વતંત્રતાની વાત જુદી છે. આ સંસારમાં ચક્રવર્તીનું શાસન પણ સુખદાયી નથી. જે રાજશાસનમાં ઊંચનીચના ભેદ, રાજા-સેવકની પ્રણાલિ છે ત્યાં માનવજીવનની સ્વતંત્રતા ક્યાં છે ? રાજ્યવિસ્તારની આકાંક્ષાથી થતાં યુદ્ધો, તેમાં થતી ઘોર હિંસા. થોડા શાસકોના સુખ માટે કેવો મોટો ભોગ અને સંહાર. આવા શાસનનો અધિકાર શાસકને કોણ આપે છે ? તેવા શાસનની પ્રાપ્તિ પછી શું? જે શાસન સબળો નબળાને દબાવે તેવું શાસન સ્વતંત્રતા કેવી રીતે આપશે ? સત્તાકાંક્ષી માનવ સિંહ જેવી પ્રકૃતિ ધરાવે છે. સિંહ વનનો રાજા કહેવાય છતાં પ્રાણીઓનું ભક્ષણ કરે; એ પ્રમાણે માનવની દુવૃત્તિ હું જોઈ રહ્યો છું.” નંદિવર્ધન કહે, “ભાઈ તું રાજશાસન હાથમાં લઈને તેમાં સુધારો કર. માનવને સ્વતંત્ર કર.” મોટાભાઈ, સંસાર એ તો ટોળાશાહીના સંસ્કારવાળો છે. અને તેને બંધન સદી ગયું છે. હું બંધનના મૂળને છેદીને જગતમાં સ્વતંત્રતાનું સાચું રહસ્ય પ્રગટ કરીશ. તે માટે પ્રથમ મારે સંસારનો ત્યાગ કરવો જરૂરી છે.” ૭૮ ૪ હિતશિક્ષા કાજામ રાજય સરકારની રાજ્યના રાજ્ય સરકાર ના કાકાર દરવાજા બ હાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy