SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ કાર રાજા - - - - - new કરતા આવ્યા છે. ભાગ્યશાળી સાધકો માટે તે એક અવસર છે. જ્ઞાન, ધ્યાન અને ભક્તિ જેવાં અવલંબનો, તીર્થો દ્વારા તીર્થકરોની દિવ્ય ચેતનાને સ્પર્શવાનાં સ્થાનો આજે પણ પ્રાપ્ત છે. અશરીરી એવા સિદ્ધ ભગવંતોનું શુદ્ધ ચૈતન્ય જ્ઞાનસ્વરૂપે વહેતું જ રહે છે. સાધકો એવા અવલંબન દ્વારા સ્વચેતનાની શુદ્ધિ કરી પૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે. ભગવાન મહાવીરની જીવનકથાના પ્રસંગો જીવમાત્રના જીવનનું રહસ્ય બની શકે છે. મહાવીરને કેવળ રાજ્યાદિના બાહ્ય ત્યાગથી કે બાહ્ય તપથી ઓળખવા તે પૂરતું નથી. મહાવીર ઘરમાં રહેવા છતાં યોગી હતા, મૌનઅમૌન સમાન હતું. જંગલ એમને મંગલ હતું. તેમના જીવનમાં ઘટેલા પ્રસંગો તે તો માત્ર યોગ હતો. જે તેમણે અપૂર્વ સમતા, પ્રેમ અને વાત્સલ્યથી ચૂકવી દીધો. - નિરંતર ચેતનાની જાગૃતિ, તેને માટે પ્રખર ધ્યાનની અવસ્થા એ એમની દીક્ષાચર્યાનું હાર્દ હતું. વીતરાગનો માર્ગ ચેતનાની જાગૃતિનો છે. તેમણે તે ગૌતમ સ્વામી દ્વારા જનસમૂહને સહજપણે સમજાવી દીધો. “એક ક્ષણનો પ્રમાદ ન કર.” આવા મહાન યોગી, જગતગુરુ, તીર્થંકર પરમાત્માની ભક્તિ કે ગુણગાન કરીને, કથામૃતનું પાન કરીને પાવન થઈએ, અને તેમના માર્ગે ચાલી તેમના ઉપદેશને જીવનસાધ્ય બનાવીએ એવી પ્રાર્થના સાથે. ભગવાન મહાવીરનું જીવન જ એવું અદ્ભત રહસ્યોવાળું છે કે સહસ્ત્ર કલમો દ્વારા આલેખાય તોપણ તે પૂર્ણતા પામવાનું નથી. એથી ઘણા વિદ્વજનોએ, જ્ઞાનીજનોએ આ કથાને પુનઃ પુનઃ નવા નવા અભિગમ દ્વારા પ્રસ્તુત કરી છે. તેમાં ભગવાન પ્રત્યેની અનન્ય ભક્તિથી પ્રેરાઈને આ કથા લખીને તેમાં બિંદુ જેટલી પૂર્તિ થઈ હોય તો તેમાં મને ભાગ્યશાળી માનું છું. આ લેખનમાં કંઈ પણ ક્ષતિ રહેવા પામી હોય કે અવિનય થયો હોય તો તેની ક્ષમાયાચના કરું છું. સૌ જિજ્ઞાસુઓ વાંચે, અન્યને વંચાવે, પ્રેરણા આપે તો તે ઉપકારકરૂપ નીવડશે. ઈતિ શિવમ્ wwwામા WWWWWWMM કws Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy