SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - -- --- ર હિતશિક્ષા : આ પ્રમાણે દેવલોકમાં જવું અને પુનઃ મનુષ્યપણું પામવું, તે આયુષ્ય ભલે ઉત્તમ છે છતાં તેમાં પરમાર્થ રહિત કાળ વ્યતીત થતો રહે છે. કારણ કે સંસારની ચાર ગતિરૂપ યાત્રામાં કંઈ સુખ નથી. પરંતુ જીવ મોહવશ સુખ માની લે છે. ત્યારે આત્મવિકાસ ત્યાં જ આવરણ પામે છે. જેમ ખીલે બાંધેલી નાવ પાણીમાં હોવા છતાં તેની ગતિ નથી તેમ સંસારના સુખની આકાંક્ષા સહિત ધર્મ અનુષ્ઠાન કેવળ ભૌતિક સુખના પુણ્ય સુધી પહોંચાડે. વળી તેના બદલે અવગતિમાં જવું પડે. મનુષ્યાકૃતિ મટી તિર્યંચની ગતિમાં જાય. દેવલોકમાં તો ભયાનક ખતરો છે. જ્ઞાન રહિતના મળેલાં દેવલોક કેવળ ભોગાસક્તિમાંની વૃત્તિવાળાં હોવાથી ત્યાંથી નીકળ્યો કે તેના ભાગ્યમાં પૃથ્વી, પાણી, વનસ્પતિમાં જન્મ લખાઈ જાય છે. માટે જીવો ! સંસારનાં એ સુખ પણ છેતરામણાં છે. ત્યાં અટકો નહિ પરંતુ જાગૃત થઈ પ્રારંભમાં કષ્ટદાયક છતાં પરિણામે સુખરૂપ એવા સંયમમાર્ગને આરાધો. ભવ સાતમો : સૌધર્મ દેવલોકમાં સાતમા ભાવમાં મહાવીરનો જીવ, તે પુષ્પમિત્રનો જીવ, સૌધર્મ દેવલોકમાં મધ્યમ આયુષ્યવાળો દેવપણે ઉત્પન્ન થયો. પૂર્વના કરેલા બાળતપના પરિણામે દેવલોકનાં સુખ મળ્યાં, પણ હજી ભવભ્રમણ તો ઊભું જ રહ્યું. અને વળી વિરાધનાના યોગે ચઢતીપડતી થતી રહી. જો કે હવે દેવલોકમાં થતાં ભવો ઉત્તરોઉત્તર વૃદ્ધિવાળાં હોય છે છતાં તે સર્વ વૃદ્ધિ પૌગલિક હોવાથી પરમાર્થથી દૂર છે. દેવલોકના ચાર પ્રકાર છે. ૧ ભુવનપતિ. ૨ વ્યંતર, ૩ જ્યોતિષ્ક, ૪ વૈમાનિક રત્નપ્રભા પૃથ્વીમાં ભુવનપતિ અને વ્યંતરના દેવો હોય છે જ્યોતિષ્ક દેવનાં વિમાનો મનુષ્યલોકમાં સદા મેરુપર્વતને પ્રદક્ષિણા આપતાં પરિભ્રમણ હિતશિક્ષા ૧૯ - - - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy