SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિ પણ નથી. કારણ કે નીચેના દેવો ઉપરના દેવોના સુખવૈભવથી પોતાને કંઈ ઓછું છે તેવી ઇર્ષા અને અસંતોષથી પીડાતા હોય છે. વળી જ્યાં દેવીઓનો યોગ હોય છે તેવા નીચેના દેવલોકમાં તો ભોગતૃષ્ણા પણ વિશેષ હોય છે. ી હિતશિક્ષા : વિચારવા જેવું તો એ છે કે માનવજન્મના અલ્પ આયુષ્યકાળમાં પરિચિત સાધનોના ભોગથી કે તૃષ્ણાથી જો જીવ કર્મનું ભાજન બનતો હોય તો દીર્ઘકાળના આયુષ્યવાળા, વળી જેની પાસે સમકિત જેવું પાપનિવારક સાધન નથી, તેવા જીવો ભલે દેવ હોય પણ કર્મના કોયડાથી છૂટી શકતા નથી. પુણ્યયોગ પૂરો થતાં તે જીવનું જેમ ઘાડપાડુ સર્વસ્વ લૂંટી લે તેમ દેવાયુ પૂરું થતાં દેવજનિત સુખો સમાપ્ત થાય છે. અને કંઈક પુણ્યયોગ શેષ રહ્યો હોય તો માનવજન્મ પામે છે; નહિ તો તિર્યંચગતિમાં કાર્મણકાયયોગથી દોરવાઈને તેવા સ્થાનમાં ઉત્પન્ન થાય છે. ભવ પાંચમો : કૌશિક નામે બ્રાહ્મણ મહાવી૨નો જીવ બ્રહ્મદેવલોકોનું દસ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી કોલ્લાક સંનિવેશમાં (ગામનાં) એક બ્રાહ્મણની પત્નીના ઉદરથી કૌશિક નામના પુત્ર તરીકે ઉત્પન્ન થયો. યુવાનવયે તેનાં લગ્ન થયાં. ગૃહસ્થજીવનમાં અર્થોપાર્જનની પાછળ નિરંતર કાળ વ્યતીત થતો હતો. વળી વૈભવની વિપુલતા સાથે કામના અને ઇચ્છાઓ પણ બળવાન હતી. આમ અર્થ અને કામની પાછળ નિરંતર સમય વ્યતીત કરતો હતો. આરંભ અને પરિગ્રહમાં રાચી રહેલા તે બ્રાહ્મણે દીર્ઘકાળ સુધી સંસારના સુખો ભોગવી અંતકાળમાં પૂર્વસંસ્કારબળે ત્રિદંડીસંન્યાસીનો વેશ ધારણ કર્યો. Jain Education International હિતશિક્ષા ૪ ૧૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy