SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈ સ્થાન જોઈએ છે. ઉપયોગને ટકાવવા માટેના ઉપાયોમાં ધ્વનિ કે શ્વાસ જેવાં અવલંબન પણ આપ્યાં છે, ધ્વનિ પેદા કરવો પડે છે. શ્વાસ સ્વૈચ્છિક ક્રિયા છે તે નિરંતર ચાલે છે, મનને તેની સાથે જોડી રાખો. એકાંતમાં એનો અભ્યાસ કરો, મનને શાંત થવાનું ગમી જશે, તે શાંત થઈ જશે. વળી વળીને શ્વાસ પર આવીને રોકાશે, અને સમગ્ર સૃષ્ટિની દોડ શમી જતાં ચિત્ત શાંત થતું જશે. ચિત્તની આવી સ્વસ્થ દશા સમાધિપૂર્ણ છે. જીવ અનેક પ્રકારના અપધ્યાનમાં ગૂંચાઈ ગયેલો છે તેથી મનને કોઈ એક ખૂટે બંધાવું પરવડતું નથી. જરા કોઈ અવલંબનમાં ટકશે કે પાછો છટકશે જ. એટલે એક ક્ષણ પણ આત્મભાવમાં ટકવું તે મહાભગીરથકાર્ય થઈ પડ્યું છે. ભાઈ ! તને જે શુદ્ધ સાધન કે નિર્દોષ સાધન અનુકૂળ આવે તેને ગ્રહણ કરે, પરંતુ શુક્લધ્યાનના સેતુરૂપ ધર્મધ્યાનને આરાધી લે. ધર્મધ્યાનની આરાધના પહેલાં તારી મતિને શુદ્ધ રાખવી પડશે. વ્યવહાર નિર્દોષ જોઈએ. આહારવિહાર નિયમિત જોઈશે. કષાયવિષયોની મંદતા જોઈશે. બાહ્ય વિસ્તારનો સંક્ષેપ કરવો પડશે. ભગવાન મહાવીરના જીવનપ્રસંગોને મૂલવવાનો આપણને અધિકાર નથી, પરંતુ તેમાંથી આપણને યોગ્ય હિતશિક્ષા મળે, તેમની સર્વતોમુખી પ્રતિભાની અનુમોદના કરવા તથા ભગવાન પ્રત્યેના ભક્તિભાવને વ્યક્ત કરવાના ધ્યાનરૂપ મનોરથને અત્રે આલેખ્યો છે. ભગવાનના તપ, ધ્યાન કે ગુણોનું શક્રેશ પણ પૂર્ણ વર્ણન કે કથન કરવા સમર્થ નથી તો આપણું શું ગજું? માત્ર પ્રભુના ચરણકમળમાં પુસ્તકનું લેખન તેમની જ કૃપાથી પુષ્પરૂપે ધર્યું છે. ભગવાન મહાવીરના જીવનપ્રસંગો આલેખતા જીવને અતિ પ્રસન્નતાનું અમૃત મળ્યું છે. તે માટે અહોભાગ્ય માનું છું. ઇતિ શિવમ્ ૧૭ ૪ હિતશિક્ષા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy