SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌતમને સંબોધન ભગવાન પુનઃ પુનઃ કહેતા “ગૌતમ ! એક પળનો પણ પ્રમાદ ન કર !” ગૌતમ એ વાણીને પ્રેમપૂર્વક ઘારણ કરતા. તેઓ વિચારતા કે શું ક્ષણિક પ્રમાદ આવો ભયંકર છે? જેને માટે ભગવાન મને પુનઃ પુનઃ ઇશારો કરે છે. મારે ભગવાન પાસેથી આનું સમાધાન જાણવું જરૂરી છે. અત્યંત લઘુતાભાવે ગૌતમે ભગવાનને પૂછ્યું. ભંતે ! ક્ષણિક પ્રમાદ અપ્રમાદની સમગ્ર દશાને હરી લે છે ?” “હે ગૌતમ ! તમે બળતો દીવો જોયો છે ?” હા ભંતે” “દીવો બળે ત્યારે શું બને છે ?” “ભંતે ! અંધકારના પરમાણુઓ પ્રકાશમાં પરિવર્તિત થાય છે. એટલે વાતાવરણ પ્રકાશમય બને છે.” “તે પ્રકાશ ક્યાં સુધી રહે છે ?” ભંતે ! જ્યાં સુધી દીવો જલતો રહે ત્યાં સુધી.” “અને દીવો ઓલવાઈ જાય તે ક્ષણે શું થાય છે ?” “ભંતે ! તે જ ક્ષણે પ્રકાશનાં કિરણો અંધકારમાં પરિવર્તિત થાય છે. દીવાનું ઓલવાઈ જવું અને અંધકારનું પ્રગટ થવું તે એક સમયે બનતી ઘટના છે.” “ગૌતમ ! તે જ પ્રમાણે જે ક્ષણે પ્રમાદ આવે છે, તે જ સમયે પ્રમાદની દશાથી ચિત્ત - ઉપર આવરણ આવી જાય છે. જાગરણમાં, અપ્રમાદમાં ચિત્તનો અંધકાર દૂર થઈ પ્રકાશરૂપે પ્રગટ થાય છે. ચિત્તની જાગૃત દશામાં શુદ્ધિના સંસ્કારો પ્રબળ બને છે, જ્યારે ચિત્તની સુષુપ્ત દશામાં મલિનતાના સંસ્કારોનો પ્રભાવ વધે છે. પ્રમાદ અવસ્થામાં અશુદ્ધિના સંસ્કારોથી ચિત્ત આવરાઈ જાય છે. ત્યારે પુણ્ય પણ પરવારી જાય છે. હિતશિક્ષા શિક ૧૪૯ જ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy