SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ અથડામણો વધે છે. તેમાં શક્તિનો હ્રાસ થાય છે, પછી ચેતના પણ સુષુપ્ત બની જાય છે. અણુએ અણુના આમ ધક્કા ખાઈ, દેહ ક્ષીણ બનતાં છેવટે ચેતના દેહને છોડી દે છે. તેને મૃત્યુ કહીએ છીએ. નાનામાં નાની ક્રિયામાં અનુપયોગને કારણે કઠીન કષ્ટ વેઠે. પણ ઉપયોગનું લક્ષ ન રાખે. આથી આહારાદિમાં જ્ઞાનીઓએ વિધિ-નિષેધ બતાવ્યા પણ તેમાં ઘણો અતિરેક થયો. વિવેક વગર ઉપયોગ ન રહે. કેવળ રોજની ટેવોથી ચિત્ત ન શૂન્ય થઈ જાય છે ત્યારે પણ વિવેક કે ઉપયોગ નથી રહેતો. ઉપયોગનો ગુણ એવો છે કે જયારે, જેવો જે રીતે રાખવો હોય તેવી રીતે રહે. શુદ્ધ રાખે નિર્જરા થાય. એટલે ઉપયોગ એ ધર્મ કહ્યો છે. કર્મોને તેના કાળે ન દાબીએ તો ફરીફરીને વધ્યા કરશે. વિવેક વગરની ક્રિયામાં અજ્ઞાન જ છે. શરીર આત્માની પાસે જઈ શકવાનું નથી ઉપયોગ આત્મા પાસે જઈ શકે તેથી ઉપયોગને શરીરના લાલનપાલનમાં લઈ જવાને બદલે આત્મામય રાખવો. તેવા સંયમીનું સ્થાન સંસારવાસ ન હોય. મતિમાં અજ્ઞાન ક્યાં સુધી રહ્યું છે તેનું શોધન કરવું. ક્રિયા સમયે જ અનુભવ વો. આજે ક્રિયા અને કાલે અનુભવ તેવું ન હોય. ક્રિયામાં ફળ આપવાની તાકાત નથી. અજ્ઞાનથી ક્ર્મની તાકાત વધે છે. આર્તધ્યાન એ ર્મનું નિવાસ છે. ધર્મધ્યાન એ સંયમીનું નિવાસ છે. કર્મપ્રક્રિયા એ મહાસત્તા છે. કર્મવિપાક એ ગતજીવનનો પરિપાક છે. દરેક શુભ અશુભ યોગનું અવલોકન કરી શોધવું કે શાથી આવું બન્યું ? કેવળ કાર્ય સિદ્ધિ પાછળ ન દોડવું. વ્રત જેવી સાધના પછી શરીરભાવ ઘટતો જાય નહિ તો અંધ તપશ્ચર્યા થશે. અને તપને અંતે વધુ આરંભિક પ્રવૃત્તિ થશે અને વિક્રિયા થશે. માનહાનિની વૃત્તિ કે કશું મેળવવાની વૃત્તિ થશે. શુદ્ધ ઉપયોગ વગર મનના સૂક્ષ્મ ભાવો સમજી શકાતા નથી. તેથી અવ્યવસ્થા થાય છે. મન શરીરને સાચવી લે છે, શરીર મનને સાચવી લે છે. પછી ધ્યાન ધારણામાં બેસે તો શરીર અને મન પ્રધાન બને છે. ધ્યાન પ્રભુનું ધરવા છતાં વિષયાંતર થાય છે. અને પ્રમાદ થતાં આર્તધ્યાન સુધી પહોંચી જાય. માટે ખૂબ અભ્યાસ કરીને નિર્ણયાત્મક જ્ઞાન ગ્રહણ કરવું. તો મન પણ જ્ઞાનમાં સહાય કરશે. કોઈપણ ધર્મવિધિ પહેલાં તેનું જ્ઞાન અને શ્રદ્ધા જોઈએ. સ્તવનમાં પણ ભાવના રહેવી જોઈએ. કેવળ સ્વરૂપ અવલોકન Jain Education International For Private & Personal Use Only ૬૭ www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy