SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ સાચી સમજવાળો સમકિતી જીવ કર્મના ઉદયકાળે કંઈક દુઃખ અનુભવે પણ તરત જ સરળભાવે વિચારણા સુધારી લે. શુદ્ધભાવને આરાધવા શુભભાવનું શરૂઆતમાં અવલંબન લે અને તે પ્રમાણે વ્યવહારધર્મ આચરે. શરીરથી થતું કર્મ જો શુદ્ધભાવ નહિ હોય તો તે સંસારનું જ ફળ આપશે. સુખ, સાધન, વૈભવાદિ પુણ્યપ્રકૃતિ મળે પણ અશુભમાં ફેરવાય ત્યારે જીવ હારીને સંયમ કરે. અને જો ચિત્તમાં કલેશ રહે તો સંયમનું ફળ મુક્તિ ન આવે. સાત્વિક ક્રિયા કરવા સગુરૂની સમીપતા જોઈએ. જેથી ક્લેશભાવ દૂર થાય. જો કે બહારની અને શરીરની અનુકૂળતા હોય તો જ ધર્મ થાય તે લૌકિક માન્યતા છે. શરીર સાધન જરૂર છે. પણ ભાવમનની પ્રધાનતા છે, ચિત્ત સૌમ્ય રહે તો શુદ્ધ ક્રિયા થાય. ચિત્તની ચંચળતા હોય તો ક્રિયા નિષ્ફળરૂપ બને. સદ્ગુરૂના પ્રભાવથી સહજ શુદ્ધિ થાય. આવી બધી અથડામણ ચોથે પહોંચવા સુધી વધુ હોય છે. ચોથે પહોંચ્યો કે શક્તિનો વિકાસ થાય છે. ભવાંતર થતાં આત્મસાધન તદ્ન વિસ્મૃત થતું નથી. અને મળેલા સાધનોનો ઉપયોગ કરે છે, પરિગ્રહ ત્યજે છે. અને ક્રમે સંસારભાવથી છૂટતો જાય છે. શુદ્ધિ દ્વારા સમકિતભાવને ક્ષાયક-પૂર્ણભાવ સુધી પહોંચાડે છે. અને તેના પુરૂષાર્થમાં જ લાગેલો રહે છે. ક્ષાયિકભાવને કારણે ઉપસર્ગાદિ સહન કરવાનું બળ મળે છે. કર્મની આત્યંતિક નિર્જરા થાય છે. પ્રમાદ છૂટી જાય છે. ક્ષયોપશમ ભાવ ટકે ત્યાં સુધી તો કંઈ જ્ઞાન ટકે પણ એ ભાવ શમે જીવ અજ્ઞાનદશામાં ચાલ્યો જાય. કોઈ પ્રકૃતિ મંદ પડે, કષાયનો રસ મંદ પડે પણ તેથી કંઈ જ્ઞાની કે ધ્યાની ન થવાય. ચિત્ત સમાધિમાં રહે, બાહ્યનો સંગ છૂટે. આત્મા અને તેના ગુણનું જ સંવેદન રહે, ત્રણે યોગની શુદ્ધિ હોય, ત્યારે જીવ અજ્ઞાનથી ત મુક્ત થાય છે. આપણો ઉપયોગ મન ચાલે તેમ ચાલે છે. લબ્ધિ, શક્તિ ઈદ્રિય સાથે કામ કરે છે. સમકિત ગુણને કારણે લબ્ધિ અને ઉપયોગ એકત્વથી કાર્ય કરે છે. આગળ વધી ક્ષાયિકભાવે સર્વ પદાર્થને જાણે છે. એથી દુઃખનું વેદન સતાવતું નથી. શ્રેણિક રાજાને પ્રભુએ એ જ આશ્વાસન આપ્યું કે તું ક્ષાયિક સમકિત પામવાનો છું. તારે નરક શું કે સ્વર્ગ શું? સુખ શું કે દુઃખ શું? ત્યાં પુદ્ગલો સંયોગમાં આવશે ખરા તેનું ફળ આપી સ્વરૂપ અવલોકન ૨૬૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy