SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ન થાય. પૂજન, સમકિત શોધન માટે છે. પરમદેવ પાસે જઈ ગુણ વિકાસ કરે. ગુરૂ પાસે જ્ઞાન પ્રાપ્ત કરે. શાસ્ત્રના સ્વાધ્યાયથી કષાયોને શાંત કરે તો રત્નત્રયીની આરાધના થાય, જીવ ધર્મ પામે. દેવદર્શન કેમ થાય તેની સમજ જરૂરી છે. દેવદર્શનમાંથી મનુષ્યમાં દિવ્યતા પ્રગટ થવી જોઈએ, તે મૂર્તિપૂજનનું રહસ્ય છે, તેને બદલે પૂજા વડે મૂર્તિપૂજક કહેવાયા. ધર્મના અસ્તિત્વના સ્વીકારનું આલંબન જોઈએ છીએ. મનની રચના જ એવી છે કે તેને આલંબન જોઈએ. શુદ્ધ આલંબન ન મળે તો અશુદ્ધ આલંબનમાં પડે છે. તેમાં મોહ માયા ભળે છે. અને ભ્રમમાં જીવન વ્યતીત થાય છે. વિતરાગદેવની મૂર્તિ તે શુદ્ધ આલંબન છે. પત્થરના મોટા પહાડો હોય તો ય કોઈ પૂજા ન કરે પણ ત્યાં મહાન આત્માઓએ એકાંતવાસી થઈ મુક્તિ મેળવી છે. તેથી પહાડોનું સ્થાન ઉત્તમ ગણાય છે. તેની પવિત્રતા જીવને એકાગ્ર થવામાં સહાય કરે છે. આજે દ્રવ્ય પૂજાનો વિસ્તાર અને આડંબર ખૂબ વધી ગયા છે. એટલે ભાવ વડે જે પરમાત્મ સંબંધ થવો જોઈએ તે સ્પર્શતો નથી. દ્રવ્યપૂજાનો મૂળ આશય ત્યાગભાવ હતો. દેવને તો કંઈ આવશ્યકતા નથી. અહિંસાનો ઉત્તમ સાધક પ્રભુને ફૂલપૂજા કરવાનો વિશેષ ભાવ થાય તે સાધક તે દિવસે વનસ્પતિનો ત્યાગ કરે. જો કોઈ તીર્થમાં પુષ્પ સસ્તા હોય તો વધુ પુષ્પ ચઢાવવામાં તેને રસ આવે. એટલે પુષ્પ પૂજામાં પણ ધનનું સ્થાન નહિ પણ યતના રાખવી. આવી ક્રિયા કેવળ મનની ઈચ્છા પ્રમાણે કે અંધશ્રદ્ધાથી કરવામાં પરિણામ શૂન્ય આવે છે. દ્રવ્યપૂજન વડે વસ્તુના ઉપભોગનો ભાવ છોડવાનો છે. પરિગ્રહ ઓછો કરવા દાનાદિ કરું છું, નહિ કે વધુ ધન મેળવવા માટે. તેમ કરવાથી દાન કરીને પણ જીવ તો બંધનમાં જ આવે છે. છૂટવાના દરેક સ્થાનો આ રીતે બંધનરૂપ નીવડે છે. કારણ કે મૂળમાં સાચો ધર્મ, જૈનધર્મનો મર્મ જીવો સમજયા નથી. જિનેશ્વર પરમ નિસ્પૃહ છે તેની પાસે સ્પૃહા રાખવી તે મહા અવિવેક છે, તે જ આશાતના છે. તેનો વિધિ નિષેધોમાં આશાતનાને મોટું રૂપ આપી પૂજકો સક્રિયા ચૂકી જાય છે. જિનને જિન ભાવે ન ભજવા તે આશાતના છે. નિગ્રંથ એવા જિનેશ્વરને રાજાના રૂપમાં ભજવા તે પૂજાનું સાચું સ્વરૂપ નથી. પ્રભુનાં ધ્યાનની કે ચૌદમા ગુણ સ્થાનકની મુદ્રા રાજા કે ચક્રવર્તીના સ્વરૂપ અવલોકન Jain Education International ૨૬૧ www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy