SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ તે માટે કહી છે. ત્યાંનું વાતાવરણ શુદ્ધ હોય. સિદ્ધ થયેલા આત્માઓના પરમાણુના આંદોલનો શુદ્ધ હોય. આપણે યાત્રા શબ્દ પકડયો પણ તીર્થમાં શુદ્ધિને ચૂકી ગયા. ત્યાં રહેવાની સ્વચ્છતા સગવડ સાધનો જોઈએ. પણ આત્માની શુદ્ધિ ગૌણ થઈ ગઈ. દેહ એ વિકાસનું સાધન છે, પણ મન, ઈંદ્રિયો વિગેરે સ્વસ્થ અને નિયમિત હોય તો. તે બધા ભેગા મળીને કર્મ કરાવે તો જીવ પરાધીન થાય. ભાષા કર્મની વર્ગણા જલ્દી ભોગવવા ક્રોધાદિ કષાયો અને ઉત્કટતા રહે. મનથી વિષયો જલ્દી ભોગવવા તીવ્ર રસોનું સેવન થાય. મનની શુદ્ધિ વગર ઈદ્રિયો શુદ્ધ વ્યવહાર ન કરે. એકેન્દ્રિયમાંથી ક્રમે નીકળી પાંચ ઈંદ્રિયો અને મનુષ્યદેહ મળ્યો. તે સાધન આત્મહિત માટે ન થયું. અને ભોગવટો કર્યો તો આખરે ધક્કા ખાઈને શરીરમાંથી નીકળવું પડશે. શરીરને સુખી કરવાના સાધનમાં કાળ કાઢી નાખ્યો તો પછી મનુષ્યદેહથી કાર્ય ન સરે. મોહ વધતો ગયો અને કાળ પસાર થયો. જીવે વિચાર કરવો જોઈએ કે સંસારમાં આટલું બધું રઝળવું શા માટે ? તો બાહ્ય અને આંતર જીવનનું પરિવર્તન થાય, મનુષ્ય જન્મ પામીને તે શ્વાસથી માંડીને ભાષા ઈત્યાદિ આત્માર્થે કયારે વાપર્યા ? એ પછી મનનું તો પુછવું જ શું ? હું સત્સંગ એટલે આત્માનો સંગ, જીવ પોતાની ભૂલો ન સમજે એટલે સાધનો કંટકરૂપ થઈ પડયા. જ્ઞાન અને જ્ઞાની સત્સંગ છે. સ્વાધ્યાય અને ભક્તિ વડે જીવ જ્ઞાની થાય. પૂર્ણજ્ઞાન વગર સ્થૂલિભદ્ર જેવા કુતૂહલમાં જઈને ચૂક્યા. હું ધર્મી છું તેવી માન્યતા અહમ લાવે. સાચો ધર્મી એમ વિચારે કે હું ધર્મની નજીક કેટલો પહોંચ્યો ? મોહનીયકર્મની ગ્રંથિ ભેદે ત્યારે ધર્મી ગણાય. આ કર્મના ઉદયે કહેવાતા ધર્મી જીવો ધર્મસ્થાને પણ કષાયમાં રહે છે. તેમાં ક્રોધ એ પ્રથમ સ્થાને છે, તેની સાથે બીજા કષાયો ભળે. અને જ્ઞાનાવરણ તથા દર્શનાવરણ ગાઢ થાય. આત્મવિકાસને આડે અંતરાય આવીને ઉભું રહે. મનુષ્યપણુ પામી આનંદ માણવાનો નથી. માનવતાને પૂર્ણપણે પામીને, મોક્ષમાર્ગ સાધીને આનંદ માણવાનો છે. જીવ એમ માને કે સંસાર નિભાવવો તે મારી ફરજ છે. તે વાત તો ઠીક છે. પણ સંસારના પદાર્થોમાં રસ મંદ કરવો કે ક્ષીણ કરવો તેમાં જીવ સ્વાધીન છે. રસ ઓછો કરીને ફરજ બજાવી શકાય. તેને અનાસક્તિ સ્વરૂપ અવલોકન Jain Education International For Private & Personal Use Only ૨૫૯ www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy