SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વ પોતાના સ્વભાવમાં ક્ષમાવાન છે પરંતુ મનુષ્યો મહામોહમાં પડીને તે સ્વભાવ ધર્મોને પણ મહાત્ત ફરવા માગે છે, અને પ્રલય જેવા પરિણામ આવે છે. દરેક પદાર્થ સ્વગુણમાં વર્તે તેમાં જગતનું કુશળ છે. તેને માટે અહિંસા જેવો મહાધર્મ મહાત્માઓએ આચર્યો, અનુભવ્યો અને ઉપદેશ્યો. ધર્મ એ કોઈ અમુક ક્રિયા નથી. ધર્મ એ વિશાળ તત્વ છે, પરિવર્તનનું રહસ્ય છે. વિધર્મ એટલે અન્યનો ધર્મ સમજી અસમતા લાવવાની નથી. પૌલિકભાવ, તેનો મોહ તે જ પ્રથમ વિધર્મ છે તે સમજાય તો જગતના ઘણા ધર્મને નામે થતાં સંઘર્ષો ટળે. વ્યવહાર ક્ષમાના ધર્મમાં બે પાસા છે, અપકારી પર ઉપકાર કરવો અને અપકારીને અપકારી ન માનવો, જ્ઞાનપણે ક્ષમાનો વિચારપૂર્વક આદર કરી કદાચ મનમાં દુર્ધ્યાન થયું હોય તો ફરી તેમ ન થાય તેવી જાગૃતિ રાખે. ઉપયોગરૂપે ક્ષમાભાવથી એમ વિચારે કે દરેક જીવ કર્મ પ્રકૃતિને આધીન વર્તે છે, કષાયના ઉદયથી કોઈ જીવ અવિષમપણે વર્તે ત્યારે ક્ષમાભાવ ધારણ કરે. અને અન્ય જીવ પ્રત્યે અનુકંપા રાખે. દ્રવ્યથી આત્મભાવે, ક્ષેત્રથી વિષમ સંયોગમાં, કાળથી ઉદય સમયે, ભાવથી ઉપયોગ વડે સર્વ પ્રકારે ક્ષમાવાન રહેવું. પ્રારબ્ધ કર્મને આધિન ન થતાં જ્ઞાની સદ્ગુરૂનો યોગ મેળવી સમાધાન જાણી લેવું અને કર્મ મુક્તિનો સફળ ઉપાય કરવો. મનાદિ યોગોના અવિષમ ભાવોનું શમન કરવું તે ક્ષમાભાવ છે. તેના પરિણામથી ઉભયપક્ષમાં સંવાદિતા રહે છે. વિષમતા આવતી નથી. ગુનો થવા જેવા અક્ષમ્ય સંયોગો દૂર થશે. વાતાવરણ ક્ષમામય બનશે. કારણકે ક્ષમા ઉભયપક્ષી છે. “ખામેમિ સવ્વ જીવે સવ્વ જીવા ખમંતુ મે'' મિત્તિમે સવ્વ ભૂએસુ સવ્વ વેરું મઝ ન કેણ ઈ’ જૈનધર્મનું શિક્ષણ જ એ છે કે મૈત્રીભાવે જીવવું. કોઈ જીવ પ્રત્યે વેરભાવ ન હો. આવું ક્ષમાનું શિક્ષણ તે સાધુતા છે. પરમ જ્ઞાની પુરૂષો પોતા પર ઉપસર્ગ કરનાર જીવો પ્રત્યે પરમ ક્ષમા રાખી તેને પણ જ્ઞાનમાર્ગે વાળતા. ક્ષમાવાન આત્મા પ્રથમ પોતે સહી લે છે, આથી અન્ય પ્રત્યે મિત્રતા ઉત્પન્ન થાય છે. સાધુઓ પરિષહ ઉપસર્ગ સહન કરીને વાતાવરણમાં નિર્દોષ પરમાણુઓને વિખેરતા, તેથી સર્પ જેવો ચંડકૌશિક દ્વેષરૂપી ઝેરથી સ્વરૂપ અવલોકન Jain Education International For Private & Personal Use Only ૨૪૩ www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy