SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌતમસ્વામીની કેટલી લબ્ધિ ? શાલિભદ્રની કેટલી સંપત્તિ ? અભયકુમારની કેટલી બુદ્ધિ ? સુદર્શન શેઠનું કેવું શીલ ? તેમની સાથે સરખામણીમાં ધર્મભાવે તારો વિચાર કર. અને વિનયી થા તે મહાત્માઓનું સ્મરણ કર અને સત્ પુરુષાર્થ કર. તે જ્ઞાની મહાત્માઓએ બાહ્ય સંપત્તિનો ત્યાગ ક્ષણમાત્રમાં કર્યો હતો. તેનો વિચાર કર. જીવાદિ નવ તત્ત્વમાં જીવ અને અજીવ બે મુખ્ય તત્ત્વ છે. જીવ અને પુદ્ગલના સંબંધમાં બીજા આવતા હોવાથી તેને તત્ત્વ ગણ્યા. બીજા સાત તત્ત્વોમાં મૂળ તાત્વિકતા નથી. જીવ તત્ત્વ મુખ્ય છે. સંસારથી મુક્ત થઈ શકે છે તે તેનું તત્ત્વ છે. શાસ્ત્રો દ્વારા આ તત્ત્વને તથારૂપે જાણે અનુભવે તો શાસ્ત્ર બોધદાયક થાય. નવ તત્ત્વનાં નામ ભેદની જાણકારી કે સ્મૃતિ તે શ્રદ્ધા નથી. નવ તત્ત્વની તથારૂપ શ્રદ્ધા તે સમકિત છે. તે તત્ત્વનું સ્વરૂપ જાણી પુરુષાર્થ કરે તો સમકિત પ્રગટે. રિદ્ધિ-સિદ્ધિનું ગૌરવ તે અંતરાય છે. કોઈ શાની મળે, પૂર્વના આરાધનનો આ વર્તમાનનો શુભ ઉદય દર્શાવે તો જીવને ખ્યાલ આવે કે કેવા ત્યાગ સંયમના ભોગે જીવે આ બધું મેળવ્યું છે. રિદ્ધિ આદિ સાધન છે તેની ઉન્મત્તતા તે ગૌરવ છે. પુણિયા શ્રાવક્ની ઝૂંપડીમાં આત્મ સિદ્ધિ કેવી હતી ? ફક્ત એક સામાયિક્તા ફળ વડે નરકાસુ નાશ પામે. છતાં ગૌરવ કેટલું શૂન્ય ? ધન, માન, શક્તિ, સર્વ દૈહિક છે. રિદ્ધિ સિદ્ધિ દૈહિક છે. લબ્ધિ અતિન્દ્રિય શક્તિ છે. તે વડે સત્ સાધનનો અનુભવ થાય છે. સમિકતીની દૃષ્ટિમાં પરિપકવતા છે, વિવેક છે. તે જાણે છે કે પરસેવનથી પરનો ઉત્કર્ષ થશે. તેથી રિદ્ધિ-સિદ્ધિમાં અટવાતો નથી. આજે ઉપદેશકો સાધકોને મૂંઝવે છે તેથી પરક્રિયા છોડતાં ભય પામે છે. ધર્મમાં ભય અને લાલચનું મહત્ત્વ વધી ગયું છે. ધર્મ ન કરનાર કરતાં ધર્મસંમ્મોહનવાળા વધુ રખડે છે. પુણ્ય ઉપાર્જન કરીને પરાધીન બને છે. સમજણ વધતી જાય તેમ આવી પરાધીનતાથી છૂટે. સંપત્તિ ગૌરવરૂપ નથી લાગતી, ત્યારે વિપત્તિ ભયરૂપ નથી લાગતી. સંપત્તિની ઘેલછા ટળતાં વિપત્તિનો ભય ટળી જાય. ધર્મ એ કેવળ સુખનું કારણ છે. તેમાં પ્રમાદરૂપી અંતરાય અન્ય સુખ ભણી ખેંચી જાય છે. ધર્મવ્યામોહ કોઈવાર સમકિતી આત્માને પણ ૨૩૬ Jain Education International For Private & Personal Use Only સ્વરૂપ અવલોકન www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy