SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ સાર્થક ન થાય. કેવળ સ્પર્શ સુખના ત્યાગનો અર્થ બ્રહ્મચર્ય નથી. પાંચે ઈંદ્રિયનો વિષયભોગ તે પણ અબ્રહ્મ છે. પુદ્ગલ-પરપદાર્થની મન અને ઈંદ્રિય દ્વારા ભોગવૃત્તિ તે અબ્રહ્મ છે. દરેક ઈંદ્રિયના સુખનો ત્યાગ તે બ્રહ્મચર્ય છે. પરંતુ તેની પૂર્ણતા પાંચે ઈંદ્રિયનો ઉપશમ કે વિષયોના ક્ષયથી છે. બ્રહ્મચર્ય માટે નવવાડ દ્વારા કંઈક સૂક્ષ્મતા દર્શાવી દરેક ઈંદ્રિયના વિષયને તેના સ્વભાવરૂપ વાડ કરીને બાંધે તે પૂર્ણ વ્રત છે. બ્રહ્મચર્ય તે શ્રેષ્ઠ વ્રત છે. તેની સાથે બીજા વિષયો શાંત પડે છે. છતાં પાંચે ઈંદ્રિયના વિષયને જીતવા વાળા કોઈ વિરલા જ હોય છે. પર પદાર્થ માત્રનો તેના તરફના ભાવનો સંબંધ છૂટે તેવા વિચારશીલ અને પ્રયત્નશીલ રહેવું. જે જીવનને ખાવા પીવા અને ભોગ વિલાસ માટે ખર્ચે છે તેના જીવનમાં નિયમ જેવું કંઈ હોતું નથી, કર્મભાર વધી જતાં પોતે જ પરાધીન બને છે. મનશુદ્ધ થાય, ચિત્તશુદ્ધ થાય તેવી ક્રિયા જ જાણતો ન હોય અને દેહને જ સ્વચ્છ રાખે, શણગારે તો શું સાર્થક થાય ? ધર્મક્રિયા કરીને સુખ ઈચ્છે તો તે પણ વેદોદય જ છે. કોઈપણ ધર્મક્રિયાથી મનશુદ્ધિ ન થાય અને ચૈતન્ય ન પ્રગટે તો તે ક્રિયા નિરર્થક છે. રાવણ ભક્ત હતો, શક્તિશાળી હતો. ભક્તિવાળો હતો. અષ્ટાપદ પર્વત પર પ્રભુની ભક્તિ કરવામાં પૂર્ણ એકાકાર થયો ત્યારે તીર્થંકર નામકર્મનું ઉત્તમ કર્મ બાંધ્યું. તેવા ભક્તને પણ વેદનો ઉદય થતાં સીતા પ્રત્યે આકર્ષણ થયું. કથાનક પ્રમાણે સીતા રાવણની પુત્રી હતી. તેના જન્મ સમયે જયોતિષીઓએ ગ્રહો જોયા તેમાં ખરાબ ગ્રહોનું મિલન હતું. જે નાશને સૂચવતું હતું. રાવણ અહિંસાની રુચિવાળો હતો. કન્યાને મારી ન નાંખતાં જમીનમાં દાટી દીધી. કર્મની વિચિત્રતા કેવી કે વેદોદયના પરિણામે કાળ ક્રમે તે કન્યા તરફ જ તેની કામના જાગી. છતાં વ્રતી હતો. કોઈ સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધ તે સ્ત્રીભોગ ન કરતો. સીતાને રોજે પોતાની રાણીઓ દ્વારા સમજાવતો. જો સીતા ઈચ્છે તો જ તેને તે પોતાની રાણી બનાવે. નહિ તો ઉપવનમાં જ રહે. અને રામની તાકાત હોય તો મુક્ત કરી ને લઈ જાય. નિયમથી મનુષ્ય કંઈક અંશે ચારિત્રગુણને વિકસાવે છે. કોઈ પણ કર્મ સદાસર્વદા સાથે રહેવાવાળું નથી. ઉદયમાં આવે ખરી પડે. જીવ કષાયથી મુક્ત રહે તો ફરી ન બંધાય. સ્વરૂપ અવલોકન Jain Education International For Private & Personal Use Only ૧૬૭ www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy