SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તબક ] Nyāya-Kusumānjali is neither impression ( Vasana ) as the Bauddhas suppose, nor is it Avidya as the Brahmavadins believe. પ્રમાતાને પરિચય" “ પ્રમાણુથી પ્રમિતિરૂ૫ ફળ મેળવનાર આત્મા “પ્રમાતા” છે. આત્મા સ્વપરપ્રકાશ કરવામાં નિપુણ છે, કર્તા છે, ભતા છે, સ્વસવેદનસિદ્ધ છે, દરેક શરીરમાં જુદા જૂદ છે, શરીરપરિમાણવાળા છે, કર્મરૂપ પુદગલને ધારણ કરનારો છે, જ્ઞાનાત્મા છે અને પરિણામી છે; એમ પ્રભુ ! તારા સિદ્ધાંતમાં વિદિત કરવામાં આવ્યું છે. ”-૨૦ સ્પષ્ટી. ગત લોકોમાં પ્રમાણ અને પ્રમેયનું વિવેચન આપણે જોઈ ગયા. આ લોકમાં બાકી રહેલ પ્રમાતાનું અવલોકન કરવામાં આવે છે. જૈનશાસ્ત્રકારોની આત્મા સંબંધી શી માન્યતા છે, તે વાદિ દેવરિત “પ્રમાણુનયતત્ત્વાકાલંકાર' નામના ન્યાયસૂત્રના સાતમા પરિચ્છેદમાંના પ૬ મા સૂર-વૈતન્ય પરિણામો પત્ત તાक्षाद् भोक्ता देहपरिमाणः प्रतिक्षेत्रं भिन्नः पौद्गलिकादृष्टપાંચાયપૂ–પરથી સ્પષ્ટ સમજી શકાય છે કે ચૈતન્ય એ આ માને ધર્મ છે, અર્થાત જ્ઞાન એ આત્માનું મૂળ સ્વરૂપ છે. પરંતુ આ બાબતમાં નિયાયિક વિગેરે જેનાથી જુદા પડે છે. આત્મા પરિણામી છે અર્થાત તે જૂદી જૂદી ગતિઓમાં નવાં નવાં રૂપાન્તરને પામે છે. આત્મામાં પરિ મીપણું તૈયાયિક અને સાંખ્ય દર્શનકારે સ્વીકારતા નથી. પરિણામી, કર્તા અને સાક્ષાદ્દ ભક્તા એ ત્રણ વિશેષણેથી, આત્માને કમલપત્રની માફક નિર્લેપ માનનારા સાંખ્યો જાદા પડે છે. આત્મા દેહપરિમાણવાળો છે, એ વાત આત્માને સર્વવ્યાપક માનનારા વૈશેષિકે, નયાયિકે અને સાંખ્યોને માન્ય નથી. આત્મા પ્રતિક્ષેત્ર ભિન્ન છે અર્થાત દરેકના દેહમાં જૂદા જૂદ છે; આથી એકજ આત્માને માનનારા અદ્વૈતવાદીઓબાવાદીઓ જુદા પડે છે. આત્માને પુગલાત્મક કર્મવાળે માનવાથી ધમધર્મને નહિ માનનારા ચાર્વાકે જૂદા પડી જાય છે. તેમજ કર્મને અર્થાત પુણ્ય-પાપને પદ્ગલિક નહિ માનીને આત્માને વિશેષ ગુણ માનનારા વૈશેષિકે તથા નાયિકે, કર્મને પ્રકૃતિનું વિશેષ સ્વરૂપ માનનારા કપિલ વિદ્વાનો, કમને વાસનાસ્વરૂપ માનનારા શ્રદ્ધા અને કર્મને અવિદ્યાસ્વરૂપ માનનારા બ્રહ્મવાદીઓ વિગેરે અન્ય દર્શનકાર જુદા પડે છે, 176 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004893
Book TitleNyaya Kusumanjali
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherVadilal Dahyabhai Ahmedabad
Publication Year1922
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy