SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ વિનય-સૌરભ [લતા ૨ લતા ૨ : કલ્પસુબોધિકા [ વિ. સં. ૧૬૯૬] વિનયવિજયગણિની ઉપલબ્ધ સંસ્કૃત સમયાંકિત કૃતિઓમાં આ સૌથી પ્રથમ છે. એ દસાસુયફખબ્ધ નામના છેવસુત્તના આઠમા અલ્ઝયણ નામે ૩પજજેસવણુંકમ્પની સંસ્કૃત વિકૃતિ છે. એનું પરિમાણુ ૫. ક.ના પરિમાણ સહિત ૫૪૦૦ ક જેવડું છે એટલે એનું ૪૧૫૦ ગણાય. એની રચના રામવિજયના શિષ્ય વિબુધવિજયની અભ્યર્થનાને આભારી છે. આ વિવૃતિનું સશે ધન વાચક ભાવવિજયે કર્યું છે અને એ “રસ-નિધિ-રસ-શશિન” એટલે વિ. સં. ૧૬૮૬માં જેઠ સુદ બીજ ને ગુરુવારે પુષ્ય નક્ષત્રમાં પૂર્ણ કરાઈ છે. આ વિવૃતિ “સુબાધિકાના નામથી સુવિખ્યાત છે. પ. ક.માં મુખ્ય ત્રણ વિષય છેઃ (૧) જિનચરિત, (૨) સ્થવિરાવલી અને (૩) સામાચારી. જિનચરિતને પ્રારંભ મહાવીરસ્વામીના જીવનવૃત્તાંતથી કરાય છે અને એ જ એને મોટે ભાગ રેકે છે ત્યાર બાદ પશ્ચાનુપૂર્વીએ પાર્શ્વનાથ અને નેમિનાથને અંગે થોડુંક કહી, નમિનાથથી માંડીને અજિતનાથ સુધીના તીર્થકર વચ્ચેનાં અંતરો અને અંતમાં રાષભદેવનું ચરિત્ર રજૂ કરાયાં છે. પ્રારંભમાં પાંચ પધોવાળી અને અંતમાં ૧૮ પઘોની પ્રશસ્તિથી વિભૂષિત તેમ જ વચ્ચે વચ્ચે કવચિત પદ્યાત્મક ૧ આની મૂળના પ્રતીપૂર્વકની પ્રથમ આવૃત્તિ વિ. સં. ૧૯૬૭માં અને દ્વિતીય આવૃત્તિ વિ. સં. ૧૯૭૯માં “દે. લા. જે. પુ. સંસ્થા તરફથી પ્રકાશિત કરાઇ છે. એનું સંપાદન ટિપણે સહિત આગમેદ્ધારક શ્રી આનન્દસાગરસૂરિજીએ કર્યું છે, ૨ આને પરિચય મેં A History of the Canonical Literature of the Jaina (p. 148)માં તેમ જ આગમનું દિગ્દર્શન (પૂ. ૧૪૮-૧૫૦)માં આપે છે. ૩ આને સામાન્ય રીતે “કપસૂત્ર' તરીકે ઓળખાવાય છે. એને પરિચય H CLJ (pp. 118–147)માં મેં આપે છે. એના . ૧૪૬માં મેં ૫ ક. ઉપરનાં વિવરણની એક સૂચી આપી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy