SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૮૫) અધ્યાત્મજ્ઞાનીઓ નિશ્ચયથી મૂછને જ પરિગ્રહ કહે છે, તેથી વૈરાગના અથીને નિષ્પરિગ્રહતા, નિસ્પૃહતા એ પરમ ધર્મ છે. પ્રશ૦ જેમ તાડના શિખર ઉપર થયેલી સૂચનો (અંકૂરને) નાશ થવાથી નિશ્ચય તે તાડને નાશ થાય છે, તેમ મેહની કર્મને ક્ષય થયે છત, સમસ્ત કર્મને નિયમો નાશ થાય છે. પ્રશમરતિ, કષાય વિચાર–ધર્મનું મૂળ દયા છે, સકળ વ્રતનું મૂળ ક્ષમા છે, સકળ ગુણોનું મૂળ વિનય છે, સકળ વિનાશનું મૂળ અભિમાન છે. લેભથી કેણ હણાયું નથી, સ્ત્રીઓએ કેનું હૃદય ભેળવ્યું નથી, મૃત્યુએ કેને અંત કર્યો નથી, વિષય સુખમાં કણ પૃદ્ધ બન્યું નથી. માન કષાયવંત કરતાં ક્રોધ કષાયવંત વધારે છે, કોધ કષાય કરતાં માયા કષાયી વધારે છે, માયા કષાયી કરતાં લેભ કષાયી વધારે છે. દેવતાને લેભ વધારે છે, નારકીને ક્રોધ વધારે છે, મનુષ્યને માન વિશેષ છે, તીચને માયા વિશેષ હોય છે. ક્રોધ પ્રીતિને નાશ કરે છે, માન વિનયને નાશ કરે છે, માયા મિત્રતાને વિશ્વાસ નાશ કરે છે, ને લેભ સર્વે વસ્તુને નાશ કરે છે. માટે ક્ષમા ઊપશમે કરી કોધને જીતે, મૃદુતાએ કરી માનને જીતે, સરળતાએ કરી માયાને જીતો, અને સંતોષે કરીને મુનિએ લોભને જીત જોઈયે. રાગ-દ્વેષનું ઝેર નિવારવા માટે હંમેશાં, વિવેક રૂપ મંત્રનું સેવન કરે છે જેથી તે રાગ-દ્વેષને નિર્મૂળ કરશે. સર્વે ઇદ્વિઓમાં રસેંદ્રિ, સર્વે કર્મમાં મેહની, સર્વે વ્રતમાં બ્રહ્મવ્રત, અને સર્વે ગુપ્તિમાં મન ગુપ્તિ એ ચારે જીતવા કઠણ છે. - સાધુ હંમેશાં આવશ્યક કિયા, પૂર્વ અગર ઉત્તર દિશા સન્મુખે રહી કરે. - સાધુએ કાંઈ વસ્તુ લેતાં મુકતાં, પહેલાં આંખથી જોઈ પછી રજેહરણાદિકથી પ્રમાર્જન કરવા ચુકવું નહિ. સાધુએ કાંઈ પણ બોલતાં મુખે મુહુપત્તિને ઊપગ કરવા જરા પણ ચુકવું નહિ. ૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy