________________
(૨૧૭) ઉપધાન માટે ઉપયોગી ટુંકી હકીકત.
ઉપધાન વહન કરાવનાર ગુરૂ-તે શ્રી મહાનિશિથ સૂત્રના ચોગ વહન કરનાર અથવા ગણિ કે પંન્યાસ થયા હોય તે છે. તેમાં પણ જેમને શાસ્ત્રબંધ વિશેષ હાય, ક્રિયા કરાવવામાં પ્રવીણ હોય, શુદ્ધ અને પૂર્ણ ક્રિયા કરાવવાની રૂચીવાળા હાય, શુદ્ધ ચ રિત્રપાત્ર હોય અને તેનું રહસ્ય સમજતા હોય એવા મુનિ પાસે ઉપધાન વહન કરવા યોગ્ય છે, કે જેથી કરેલી ક્રિયા શુદ્ધ થવા સાથે તેના અંગે બીજા પણ અનેક લાભ થઈ શકે.
આ ઉપધાને-ઉત્કૃષ્ટ ચૈત્યવંદનમાં અથવા દેવવંદનમાં આવતા સુત્રોના વહન કરાય છે. ને તેના મુખ્ય છ વિભાગ છે.
૧ પ્રથમ ઉપધાન-પંચમંગળ મહાશ્રુતસ્કંધ તે (નવકાર)નું
૨ બીજુ ઉપધાન-પ્રતિક્રમણવ્રુતસ્કંધ તે (ઈરિયાવહી, તરસ ઉત્તરી) નું
૩ ત્રીજું ઉપધાન-શકસ્તવાધ્યયન તે (નમુથુણું)નું–
૪ ચેાથું ઉપધાન-ચયસ્તવાધ્યયન તે (અરિહંતઈયાણું, અન્નથુ ઊસિએણું )નું--
૫ પાંચમું ઉપધાન-નામસ્તવાધ્યયન તે (લેગસ) નું
૬ છઠું ઉપધાન-શ્રુતસ્તવ, સિધધરૂવાધ્યયન તે (પુષ્કરવરદી અને સિધાણું બુધાણું–વૈયાવચ્ચગરાણું) નું.
પહેલાં આ ઉપધાન સંબંધીનો તપ-બીજી રીતે કરવામાં આવતા, તે એવી રીતે કે–
પહેલું અને બીજું ઉપધાન-૧૨-૧૨ના ઉપવાસનાં હતાં અને તેના ૧૬-૧૬ દિવસે હતા. તે એવી રીતે કે ૫ ઉપવાસ, ૮ આંબિલ અને ૩ ઉપવાસ તે પ્રમાણે સેળ.
ત્રીજું ઉપધાન-૧લા ઉપવાસનું ને તેને ૩૫ દિવસ હતા. તે એવી રીતે કે ૩ ઉપવાસ અને ૩ આંબિલ તે પ્રમાણે પાંત્રીશ,
પાંચમું ઉપધાન-પા ઉપવાસનું તેના ૨૮ દિવસ હતા. તે એવી રીતે કે-૩ ઉપવાસ અને પચીશ આંબિલ તે પ્રમાણે અઠાવીશ.
ચોથું ઉપધાન-રા ઉપવાસનું ને તેના ૪ દિવસ, તે એવી રીતે કે ૧ ઉપવાસ અને ૩ આંબિલ તે પ્રમાણે ચાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org