________________
શ્રી નવકાર મંત્રનો છંદ.
દુહા. વંછિત પૂરે વિવિધ પરે, શ્રી જિનશાસન સાર; નિએ શ્રી નવકાર નિત્ય, જપતાં જય જયકાર. ૧ અડસઠ અક્ષર અધિક ફળ, નવપદ નવે નિધાન; વીતરાગ સ્વયં મુખ વદે, પંચ પરમેષ્ઠિ પ્રધાન. | ૨ એકજ અક્ષર એકચિત, સમય સંપત્તિ થાય; સંચિત સાગર સાતનાં, પાતક દૂર પલાય. | ૩ | સકલમંત્ર શિર મુકૂટમણિ, સદ્દગુરૂ ભાષિત સાર; સે ભવિયાં મન શુદ્ધશું, નિત્ય જપીયે નવકાર. | ૪ |
નવકારથકી શ્રીપાળ નરેશર, પાપે રાજ્ય પ્રસિદ્ધ, ૨મશાન વિષે શિવનામ કુમારને, સેવન પુરિસો સિદ્ધ; નવ લાખ જપતાં નરક નિવારે, પામે ભવને પાર, સો ભવિયાં ભકતે ચેખે ચિત્ત, નિત્ય જપીયે નવકાર. ૧ બાંધી વડશાખા શિકે બેસી, કીધે કુંડ હુતાશ, તસ્કરને મંત્ર સમર્પી શ્રાવકે, ઉડયે તે આકાશ; વિધિ રીતે જપતાં અહિાવષ ટલે, ઢા લે અમૃત ધા ૨, સો ભવિયા ભકતે ચેકખે ચિત્ત, નિત્ય જપીએ નવકાર. ૨ બીજોરા કારણુ રાય મહાબલ, વ્યંતર દુષ્ટ વિરોધ, જેણે નવકારે હત્યા ટાલી, પાપે યક્ષ પ્રતિબંધ નવલાખ જપતાં થાયે જિનવર, ઈસ્યા છે અધિકાર સે ભવિયાં ભકતે ચેખે ચિત્ત, નિત્ય જપીયે નવકાર. ૩ પદ્વીપતિ શિખે મુનિવર પાસે, મહામંત્ર મન શુદ્ધ, પરભવ તે રાજસિંહ પૃથ્વી પતિ, પાપે પરિગલ ઋદ્ધ;
૧ એક ઠેકાણે કહ્યું છે કે ભવાંતરમાં કોની સત્વર સદગતિ થાય છે તે કહ્યું કે અંત સમયે પંચ પરમેષ્ઠિનું ધ્યાન કરનારની (નવકાર મંત્રનું) ધ્યાન કરનારની સત્વર સંગત થાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org