SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૯૧ : માજી પધરાવવા, જીર્ણોદ્ધાર કરાવવા, જ્ઞાન લખાવવું, (હાલમાં છપાવવું તે મુખ્ય છે) ભંડાર કરાવવા, ભણાવવા, ભણનારને સહાય કરવી. - સાધુ સાધ્વીને સર્વ પ્રકારે હાય અને ભક્તિ તથા સાધમક ભાઈ બહેનની ભક્તિ વાત્સલ્ય આ બધા અનંતા લાભના કારણે છે, માટે સર્વ કેઈયે સ્વશકત્યાનુસાર તન મન ને ધનથી બને તેટલી સહાય કરવી તેજ મનુષ્યપણું પામ્યાનું સાર્થક છે અને તેજ પુરૂષો પુરે લાભ લઈ ગયા છે, ને તેમને જ ધર્મને દીપાવ્યું છે, તેમાંથી થોડાક નામે નીચે જણાવું છું. ' જુએ--મહારાજા શ્રેણક, સંપ્રતિ, વિકમ, આમ, કુમારપાળ વિગેરે રાજાઓએ તેમ–ભાવડશાહ, જાવડશા, જાઝનાગ, વિમળશા, વસ્તુપાળ, તેજપાળ, ઉદાયિન, બાહડમંત્રી, નાહડમંત્રી જગડુશા, પેથડશા, ભામાશા, ભેંશાસા, આભ-જગસિંહ, ખેમ દેદાણી, સમરાશા, ધનાશા, કરમાશા, વિગેરે ઘણું મહાનુભાવોએ ઉત્તમ ઉત્તમ ધર્મ કાર્યોમાં પૂરણ ભકિતને ઉદાર દિલે પુષ્કળ દ્રવ્ય ખરચી ઘણો સારો લાભ લીધો છે. તે પ્રમાણે સર્વ કેઈયે પોતાની શક્તિ અનુસારે ખંત રાખી મળેલ લક્ષ્મીનો લાભ લેવા ચુકવું નહિ તેજ ખરેખર વાંચ્યાને, સાંભળ્યાનો, મનુષ્યપણું પામ્યાને અને લક્ષમી મન્યાને સાર છે. તેમ તે ઉપર જણાવેલ દરેક ઊત્તમ પુરૂષેના ચરિત્રે વાંચવાથી જાણવાથી તેને ખરેખર ખ્યાલ આવશે. શ્રેણિકાદિ ચાર રાજાઓના ટુંક વતાંતો આગળ છઠ્ઠા ભાગના અંતમાં જણાવી ગયા છીએ ત્યાં જઈ . થોડી જાણવાજોગ વસ્તુકાચા દુધમાં બે ઘડી પછી પંચેંદ્ધિ જીવો ઉપજે છે. ગેળ અને દહી બે ઘડી સુધી ભેગા કરેલા રહે તો તેમાં પંચંદ્રિ જી ઉપજે, તેને દોષ મદિરા પાન જેટલો છે. ઉના પાણીને કાળ પચ્યા પછી સંખારો કાચા પાણીમાં નંખાય. સિંહ કેસરિયા મેદક–૬૪ પ્રકારના કુસુમનો રસ, ૮૪ પ્રકારના રાજદ્રવ્ય, ૧૬ પ્રકારના સુગંધી વાસ નાંખવાથી બને છે. ભારંડ પક્ષીના જીવ બે છે, અને પ્રાણ વિશ છે, તે ઉત્તરાધ્યનની વેતાલ વૃત્તીમાં કહેલું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004881
Book TitleShravaka Sanmitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy