SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ - - વ્યસન તમાકુનું વજેવું; તાણે નાક મેઝાર; ૨૩૨ વસ્ત્ર તણું શોભા હરે, નાક ઝરે બહુવાર. અમરચંદ તથા શેઠ પોપટભાઈ મુળચંદને પરિશ્રમ, ખંત તથા ધર્મનિષ્ઠા પ્રશંસનીય હતો. બજારમાં ચિંતામણિ પાશ્વનાથજીનું ભયરાવાળું ભવ્ય મંદિર પણ રમણીય છે. ભયરામાં પાર્શ્વનાથજીની પ્રતિમાજી એટલા સ્વરછ કુંદાજવલ તેમજ જાણે હમણા જ આરસ–સંગેમરમરના પાષાણમાંથી કંડારીને તૈયાર કર્યો હોય તેવા તેજસ્વી છે. આ બધા પ્રતિમાજીઓ જગદગુરૂ તપાગચ્છાધિપતિ સુરિસમ્રાટ આચાર્યદેવ શ્રી વિજયહીરસુરીશ્વરજી મહારાજશ્રી તથા તેઓશ્રીના શિષ્ય પરિવારના હાથે અંજનશલાકા પ્રતિષ્ઠા કરાવેલ છે. ગુજરાતના ત્રણ મોટા શહેરે પાટણ, અમદાવાદ તથા ખંભાતમાં એવા સંખ્યાબંધ જિનમંદિરો છે. ને જેમાં બિરાજમાન પ્રભુજીની પ્રતિષ્ઠા-અંજનશલાકા પૂજ્યપાદ જગદ્ગુરૂઆ.ભ. શ્રી વિજયહીરસૂરીશ્વરજી મ. તથા તેઓના શિષ્ય-પ્રશિષ્યોના શુભહસ્તે થઈ છે. પૂ.પાદ હીરસૂરીશ્વરજીને કાળ ખરેખર જૈનશાસનમાં દર્શન પ્રભાવને અનુપમ કાળ હતો. તે કાળમાં સેંકડો પ્રતિષ્ઠાઓ, ધમમહોત્સવ, સેંકડે સંધયાત્રા આદિથી. ધમ ઉદ્યોત અપ્રતિમ થઈ રહ્યો હતો, ખંભાતમાં પણ એ કેટલાય મંદિરમાં તેઓશ્રીના કાળમાં પ્રભુ પ્રતિષ્ઠાઓ થયેલી છે. ગીમટીમાં કાચા કામનું દેરાસર આજથી ૩૦ વર્ષ પહેલાં પ્રખ્યાત હતું. આજે તો આવા કામો સેંકડો સ્થાનેએ થઈ ચૂક્યા છે. પણ તે વેળા આ મંદિરનાં સુંદર કાચ કામથી ભલભલા ચક્તિ થયા હતા. વર્તમાન જિનમંદિરનો જીર્ણોદ્ધાર વિ. સં. ૨૦૧૮માં થયો છે ને પ્રતિષ્ઠા આચાર્ય દેવ શ્રીમદ્ રામચંદ્ર સૂરિશ્વરજી કરાવેલ છે. ખારવાડમાં શ્રી સીમંધર સ્વામીના દેરાસરમાં જુના સમયનું લાકડા પરનું નકશી કામ આજે પણ જેનારને આશ્ચર્ય ચકિત કરે છે.. એકંદરે ખંભાત તીર્થમાં સંખ્યાબંધ ભવ્ય જિનમંદિરો જેનના પ્રત્યેક લતાઓમાં રહેલા છે. જે જેને સમાજની ભકિત ભાવના. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy