SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ વ્યસન તજ્યાથી સંપત્તિ પામે, કલ્યાણ કમળા વરશે; સમજુ થઈશું ભલે છે, સંગ તમાકુ પરિહરશે. ગામના બારેટની વંડીમાંથી આ પ્રભુજી પ્રગટ થયા હતા. અને માતરવા શ્રાવકોને રાત્રે તે વિષે સ્વપ્ન આવવાથી તેઓ ભક્તિપૂર્વક પ્રભુજીને ગાડામાં બેસાડીને અહિ લાવ્યાં, રસ્તામાં નદીમાં પાણમાં ખૂબ જ હતું, છતાં પ્રભુજીને પ્રભાવે ગાડું આગળ થયું. સંઘે માતરમાં પ્રભુજીનો પ્રવેશ કરાવ્યો. વિ૦ નં૦–૧૮૫રમાં મંદિર બંધાવી, પ્રભુજીને બિરાજમાન કર્યો. ત્યારબાદ ૧૮૯૭માં મંદિરનો જીર્ણોદ્ધાર થયો. અને હમણું લગભગ ૩૦ વર્ષ અગાઉ અમદાવાદ નિવાસી ઉદાર ચરિત દાનશીલ શેઠ શ્રી જમનાભાઈ ભગુભાઈએ આ દેરાસરને સુંદર જીર્ણોદ્ધાર કરાવી બાવન જિનાલયનું ગગનચુંબી જિનાલય અહિં તૈયાર કરાવ્યું. ગુજરાતના પ્રાચીન તીર્થમાં આ તીર્થ ગણાય છે. આજુબાજુના ગામડાઓમાંથી, ઠેઠ અમદાવાદથી પણ સેંકડો યાત્રાળુઓ શ્રીસાયાદેવનાં દર્શન માટે આવે છે. અત્યાર સુધી આ તીર્થની વ્યવસ્થા માતરના સંધ દ્વારા સદ્દગૃહસ્થની કમિટિ હસ્તક હતી પણ હમણાં પૂ. વાવૃદ્ધ શાંત તપોભૂતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજની શુભનિશ્રામાં મૂલનાયકજીને ફરીથી પ્રતિષ્ઠિત કરવામાં આવતા, અને દેરાસરમાં ગભારાની નીચે આશાતના જણાતા, તેનો જીર્ણોદ્ધાર થયા પછી આ તીર્થની વ્યવસ્થા અમદાવાદના સદગૃહસ્થ તથા માતરનો સંધ-બન્નેના સંયુક્ત વહીવટ હેઠળ ચાલે છે. આ છેલ્લો જીર્ણોદ્ધાર વિ. સં. ૨૦૦૭ ના વૈશાખ મહિનામાં થયો. આ જીર્ણોદ્ધારમાં લગભગ સવાલાખનું ખર્ચ થયાને અંદાજ છે. પ્રતિષ્ઠાના સમયે આવક પણ સારી થઈ હતી. હાલ ભજનશાળાની વ્યવસ્થા યાત્રિકે માટે અહિં છે. દર મહિનાની પૂર્ણિમાએ આ તીર્થની યાત્રા કરવાં ઘણું યાત્રાળુઓ આવે છે. યાત્રિકોને અહિં ભાથું અપાય છે. મહેમદાવાદ સ્ટેશનેથી ઉતરી ખેડાથઈને માતર અવાય છે. શ્રાવકોના ઘરે ૧૫ લગભગ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy