SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ . . - ૨૨૪ પચીસ બીડી રાજની, સે વરસે નવ લાખ; ધમ ધાતુ ધન હશે, છતી થાયે ખાખ. ટીટાઈ–અમદાવાદથી ઈડર થઈ, પગરસ્તે કેસરીયાજી જતાં ટીટાઈ ગામ આવે છે. એ. વી. રેલ્વે લાઈનમાં મોડાસાથી પણ ટીટાઈ જવાય છે. ટીંટોઈમાં સુંદર દેરાસર છે. મૂલનાયક શ્રી મુહરીપાર્શ્વનાથ ભગવાનના પ્રાચીન તથા પ્રભાવસંપન્ન પ્રતિમાજી છે. આ પ્રતિમાજી મહિમાવંત છે. “જગચિંતામણિનાં ચિત્યવંદન સૂત્રમાં મુહરી પાસ દુહદુરિય ખંડણ પદથી ભગવાન શ્રીગૌતમસ્વામીજીએ આ મહરીપાર્શ્વનાથ ભગવાનની સ્તવના કરી છે. આ સ્થળે પહેલાં મુહરીનગર હતું. પણ મુસલમાન રાજ્યકાળમાં મુસ્લીમોના અત્યાચારોથી આ નગરને ધ્વંસ થતાં આ પ્રતિમાજી ટીંટોઈમાં પધરાવવામાં આવ્યાં. વચલા કાળમાં તો મોગલોના ધમધ સાથી પ્રભુજીનું રક્ષણ કરવા ટીંટોઈથી શામળાજીના પહાડમાં કેટલાક સમય સુરક્ષિતપણે પ્રભુજીને રાખવા પડયા હતા. છેલ્લે વિ. સં. ૧૯૨૮ ની સાલમાં ટીટોઈમાં ફરી પ્રભુજીને પધરાવવામાં આવ્યા, તે સમયે ત્યાંના ઠાકોરો સેનામહેર લઈને પ્રભુજીને દર્શન કરવા દેતા, પણ ત્યારબાદ સમય અનુકૂલ થતાં ટીંટોઈના શ્રીસંઘે પ્રભુજીને મંદિરમાં પ્રતિષ્ઠિત કર્યો છે. પ્રભુજી સફેદ પાષાણુના લગભગ ૨૭ ઈચ ઊંચાઈવાળાં અને ભવ્ય છે. ગામમાં શ્રાવકના ઘરે છે. ઉપાશ્રય તથા જ્ઞાનભંડાર પણ છે. યાત્રા કરવા જેવું આ સ્થાન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy