SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ કલમ છરીની હેડમાં, કરે કલમ બહુ કેર; છરી છેદ રૂઝાય છે, કલમ વધારે વેર. અન્ય જિનમંદિરા-આ બધી ટુંકો ઉપરાંત અન્યાય જિન મંદિરો અહિં આજે પણ વિદ્યમાન છે. સંપ્રતિરાજાની ટુંકની ઉત્તરે શ્રી સંભવનાથજીનું મંદિર તેમજ સગરામ સોનીની ટુંક બાજુ શ્રી ચંદ્રપ્રભસ્વામીનું મંદિર, ત્યાંથી આગળ નવા કુંડ આગળ ૨૪ તીર્થકરોની દેરીઓ જે અધૂરી છે. આ સિવાય શ્રી શાંતિનાથજીનું દેરાસર છે. આ દેરાસરની પાસે રામતીની ગુફા છે. શ્રી શાંતિનાથનું દેરાસર જેને જેરાવારમલજીએ જીર્ણોદ્ધાર કરાવ્યો છે, ત્યાંથી આગળ જતાં ચૌમુખજીનું ચેરીવાળું દેરાસર છે, જેમાં મૂળનાયક શ્રી શામળા પાર્શ્વનાથજી છે. ત્યાંથી દૂર જતાં ગૌમુખી ગંગા આવે છે. ત્યાં ૨૪ તીર્થકરોના પગલા છે. ત્યાંથી જત્રણ બાજુએ ચઢતાં રથનેમિનું મંદિર આવે છે. અંબાજીની ટુંકઃ-રથનેમિના દેરાસરથી આગળ ચઢતાં અંબાછની ટુંક આવે છે. વિ. સં. ૧૮૮૩ ના અષાઢ સુદિ ૨ ના અંબાજીના કમાડ જૈન દેરાસરના કારખાના તરફથી કરવામાં આવ્યાને ઉલેખ છે. આ મંદિર સંપ્રતિ મહારાજાએ બંધાવેલ છે, એમ અતિહાસિક અવશેષોમાંથી જાણું શકાય છે. આ દેવી ભ. શ્રી નેમિનાથ પ્રભુના શાસનના અધિષ્ઠાયિકા છે આ ટુંકથી આગળ વધતાં ઓઘડ શિખર આવે છે. તેને ત્રીજી ટુંક કહે છે. અહિં ભ. શ્રી નેમિનાથજીની પાદુકા છે. આ પાદુકાને બાબુ ધનપતસિંહજીએ સ્થાપ્યાં છે. નીચે ઉતરતાં ચોથી ટુંક આવે છે. તેના પર વિ. સં. શ્રી નેમિનાથ ભ. ની પાદુકા છે. તેના પર વિ સ. ૧૨૪૩ ની પ્રતિષ્ઠાને લેખ છે. પાંચમી ટુંક ઉપર દેરીમાં પોટો ઘંટ છે. તેના નીચાણમાં નેમિનાથ ભ. ના પગલાં તથા પ્રતિમાજી છે, અહિંથી ચોમેર ગીરનું જંગલ દેખાય છે. સૌથી ઊંચામાં ઉંચો ભાગ આ ગણાય છે. શ્રી નેમિનાથ ભ. ના પ્રથમ ગણધર વરદત્ત અહિં મેલે પધાર્યા છે. વરદત્ત થયું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy