________________
પ્રસ્તાવ ૧.
વચનને સત્ય કરીને આટલું પણ તમારું વચન પાળજે. કેમકે સત્યનું પાલન કરવું તેજ સત્પષોને સદા ધર્મ છે.”૩૪ પછી જંત્રસિંહ બોલે –“હે શ્રેષ્ટિ ! આમાં તમે આટલે બધે આગ્રહ શા માટે કરે છે ? ભુખ્યા માણસને ભોજન માટે શું પ્રાર્થના કરવી પડે છે ?” ૩૪૭ વળી પણ રાજાએ કહ્યું કે, “તમે મારા અતિથિ તરીકે અહીં આવ્યા છે, તેથી પ્રથમથી જ મને માન્ય તો હતા પણ હવે તો તમે મને ધર્મોપદેશ આપ્યો તેથી મારા અત્યંત પૂજ્ય બન્યા છે.૩૪૮ માટે મેં આપેલા ગૃહમાં તમે અહી જ રહે. હું તમને સર્વનગરવાસીઓના શિરોમણિ કરું છું. તમારે નિત્ય મારી પાસે આવ્યા કરવું.” શ્રેષ્ઠિને એ પ્રમાણે કહીને રાજાએ છડીદાર મારફત સંધને રથયાત્રા કરવાની આજ્ઞા કરી, તેમજ આખા નગરમાં અમારિ ઘોષણું કરાવી દીધી.૩૪૯–૩૫૦ વળી વેસટ માટે શ્રેષ્ઠ નિવાસગ્રહની મંત્રીને આજ્ઞા કરી જેથી તે મંત્રીએ શ્રેષ્ઠીની સાથે જઈ રાજાની આજ્ઞા પ્રમાણે સર્વ વ્યવસ્થા કરી આપી.૩૫ પછી શ્રેષ્ઠી વેસટ પણ નગરની બહાર રાખેલા પોતાના કુટુંબને ત્યાં લાવ્યો અને રાજાએ આપેલા ઇન્દ્રભવન જેવા ઘરમાં સુખેથી રહેવા લાગે. ૩૫ પછી અ ન્યને ત્યાં જવા આવવાથી તથા એકબીજાનાં પ્રિય ભાષણથી રાજા તથા શ્રેણી વચ્ચે કૃષ્ણ તથા બળદેવના જેવી ગાઢ પ્રીતિ ઉત્પન્ન થઈ.૩૫૩ એ રીતે રાજાની ક્યા સંપાદન કરીને પણ વેસટ શ્રેષ્ઠીએ કાઈને કદી કઠોર વચન કહ્યું ન હતું. કેમકે ચંદ્રકાંત મણિ અમૃત વિના બીજી વૃષ્ટિજ કરતો નથી. ૩૫૪વેસટને રાજાએ જેમ જેમ માન આપવા માંડયું તેમ તેમ તેણે લેકેને ઉપકાર કરવા માંડયો. જેમ દાખલો તરીકે ચંદ્રમાને શંકરે મસ્તક પર ધારણ કર્યો, ત્યારે તેણે સર્વને સદા ઉપકાર કરવા માંડ.૩૫૫એ પ્રમાણે સમગ્ર નાગરિકેના શિરેમણિપણને ધારણ કરતે, દાનમાં કલ્પવૃક્ષની બરાબરી કરતા અને પિતાના યશ
( ૪
).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org