SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ જણાવે છે કે તે પૂર્વ જન્મમાં બ્રાહ્મણની સ્ત્રી હતી. તેણે એક વખતે મુનિને અન્નદાન આપ્યું, તેથી તેનો પતિ ગુસ્સે થયા. પતિના ગુસ્સે થવાથી બે પુત્રને લઈ તે ગિરનાર ગઈ અને ત્યાં નેમિનાથને નમી તેનું સ્મરણ કરતી પિતાના બે પુત્રોને આમ્રફળ વડે ખુશ કરવા માટે આંબાના ઝાડ નીચે બેઠી હતી. તેવામાં તેણે પોતાના પતિને આવતો જોયો અને તેના ભયથી ત્રાસ પામી નેમિનાથનું શરણું અંગીકાર કરી પર્વતના શિખર ઉપરથી પડી અને મરીને તે અધિષ્ઠાયિકા અંબિકા નામે દેવી થઈ. તેને પહેલાના વાસ કોડીનારને વિષે હોવાથી તેનું ચિત્ય પણ ત્યાં થયું. તેને કપૂર કુંકુમાદિથી પૂજા કરી અને ત્યાં પણ મહાધ્વજા ચઢાવી. ત્યાંથી સંઘપતિ દેશલ દીવબંદરે ગયા. ત્યાં મૂળરાજા નામે રાજા હતા. તે સમરસિંહને પ્રેમથી નાવની સાથે દીવબંદર સંઘ નાવ જડી તેના ઉપર કટ-સાદડી પાથરી સહિત દેશનું જવું દેવાલય અને સંઘસહિત મહેસૂવપૂવક જળમાર્ગે લાવ્યા. ત્યાં ક્રોડપતિ હરિપાલ નામે વણિક રહેતા હતા. તેણે સંઘસહિત દેશલનું વાત્સલ્ય કર્યું. ત્યાં અષ્ટાહિકોત્સવ કરી યાચકોને વાંછિત દાન આપી સંઘપતિએ શત્રુંજય તીર્થ તરફ પુનઃ પ્રયાણ કર્યું. એવામાં સિદ્ધસેન રિને કઈ વ્યાધિ થયો અને તેની પીડાથી આગળ વિહાર ન કરતાં તેઓ જૂનાગઢમાં રહ્યા. તે વખતે સંઘે મળીને ગુરુને વિજ્ઞપ્તિ કરી કે આપ રોગથી પીડિત થયેલા છે, અત્યારે વિશિષ્ટ જ્ઞાનના મેરુગિરિને આચાર્ય પદ અભાવે કઈ આયુષ જાણું શકતું નથી, તો આપ કોઈ શિષ્યને સુપ્રિમ આપો. ગુરુએ કહ્યું કે મારું આયુષ હજી પાંચ વરસ અને નવ દિવસ બાકી છે, સત્યાદેવીએ કહેલે શિષ્ય પણ મારી પાસે છે, પરંતુ હમણું હું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy