SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ અને કુશળપ્રશ્ન પૂછતા સમાન આસને બેઠા. વિવિધ પ્રકારના ભેટવડે સમરસિંહે મહીપાલદેવને સંતુષ્ટ કર્યો. અને તેણે પણ દ્વિગુણુ ભેટ વડે સમરસિંહને ખુશી કર્યો. ત્યાર બાદ સમરસિંહની સાથે ચાલતા મહીપાલદેવે સંઘ સહિત દેશલને પ્રવેશોત્સવ કર્યો. મહીપાલદેવ તેજપાલપુરની પાસે સંઘને વાસ કરાવી પિતાના આવાસે આવ્યો. હવે ઉજજયન્તગિરિના શિખર ઉપર વિરાજમાન નેમિનાથને નમવાને સકલ સંઘ સહિત દેશલ ગુઓની સાથે પર્વત ઉપર ચઢ. શત્રુંજય તીર્થની પેઠે ત્યાં પણ મહાધ્વજા, અવારિત સત્ર-ભોજનશાળા, પૂજા અને દાનાદિક સર્વ કૃત્ય કર્યા. પ્રદ્યુમ્ન અને શાંબના ઉચ્ચ શિખરે જોયાં. જ્યાં નેમિનાથ ભગવાનના ત્રણ કલ્યાણક થયેલાં છે એવા રૈવતગિરિના સર્વ પ્રાસાદમાં યાત્રા તથા મહાધ્વજા અને મહાપૂજાદિ કરી પુત્ર અને પૌત્રસહિત દેશલે અંબાની અર્ચા કરી. તે જ વખતે સમરસિંહની સ્ત્રીએ પુત્રને જન્મ આપ્યો. પુત્ર જન્મના સમાચાર જાણું દેશલે અંબાનું વિશેષતઃ અર્ચન કર્યું. ત્યાર બાદ ગજેન્દ્રપદ કુંડમાં દેશલે અને તેના પુત્રોએ સ્નાન કરી પાપને તિલાંજલિ આપી. આ તીર્થમાં દશ દિવસ સુધી રહીને દેશલ ગિરિનારથી નીચે ઉતર્યો. તે વખતે દેવપત્તનનો (પ્રભાસપાટણનો) રાજા મુગ્ધરાજ હતા તે સમરસિંહનું દર્શન કરવા ઉત્કંઠિત થયે. તેણે પોતાના પ્રધાનને વિજ્ઞપ્તિપત્ર લઈ સમરસિહ પાસે મોકલ્યા. અને તેઓએ સમરસિંહની પાસે આવી વિજ્ઞપ્તિપત્ર તેના હાથમાં આપ્યો. સમરસિંહ મુગ્ધરાજનું આમંત્રણ આવેલું જાણું ત્યાં જવા ઉત્સુક થ. હવે સમરસિંહ મહીપાલદેવની રજા માગવા માટે ભેટયું લઈ તેની પાસે ગયો અને ભેટ મૂકી તેની પાસે રજા માગી. મહીપાલદેવે પણ સંતુષ્ટ થઈને સમરસિંહને શ્રીકરી અને એક ઉત્તમ ઘેડો આપે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy