________________
કેટલીક બાબતો પર પ્રકાશ પડશે એમ ધારી તેને મુદ્રિત કરવા ઈચ્છા થઈ, પણ તે મળેલી પ્રતિ અશુદ્ધ હતી, તેથી બીજી પ્રતિઓને તપાસ કરાવ્યો, પણ મળી નહિ. તેથી છેવટે આ પ્રબન્ધ એકજ પ્રત ઉપરથી સંશોધન કરી છપાવ્યો છે અને તેમ કરવામાં ઘણી મુશ્કેલી અને વિલંબ થયો છે. કાળજી રાખ્યા છતાં પણ કોઈ કોઈ સ્થળે સ્મલનાઓ થઈ છે તેને સુજ્ઞ વાચક વર્ગ સંતવ્ય ગણશે.
આ સાથે બધાને ઉપયોગી થાય માટે તેનો ગૂજરાતી અનુવાદ તથા પ્રારંભમાં ઐતિહાસિક સાર આપવામાં આવ્યો છે. આ પ્રબન્ધનો ગૂજરાતી અનુવાદ શ્રીમાન આચાર્ય વિજયનીતિસૂરિજીએ પિતાના શાસ્ત્રી ગરજાશંકર પાસે કરાવી આપે છે, માટે તેઓના અમે આભારી છીએ. તે અનુવાદ તપાસ અને સંશોધિત કરી આ સાથે મુદ્રિત કર્યો છે.
આ પ્રબંધને મુદ્રિત કરી પ્રકાશિત કરવામાં શ્રીમાન આચાર્ય મહારાજ શ્રીવિજયનીતિસૂરિજીના ઉપદેશથી કોચીન નિવાસી સુશ્રાવક શાહ જીવરાજ ધનજીના સ્મરણાર્થે તેમના ધર્મપત્ની હીરબાઈએ દ્રવ્યની સહાય કરી છે તેથી તેમને ધન્યવાદ આપવા પૂર્વક તેમના કાર્યનું અનુમોદન કરી વિરમું છું. શ્રી હેમચંદ્રાચાર્યજન ગ્રન્થમાળા ! જૈન વિદ્યાથી મંદિર
પ્રકાશક, કોચરબરોડ-અમદાવાદ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org