SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ હાડકામાં થતો ચીકણો ધાતુ) દૂધ, દહીં, ઘી, તેલ, દરેક જાતિના આસવો, સ્પીરીટ, તેજાબ, મુરબ્બા, અથાણાં, ફીનાઈલ વગેરેનો વેપાર કે નોકરી કરવા નહિ. ૯. કેશવાણિજ્ય : દાસ, દાસી વગેરે મનુષ્યો; ગાય, ઘોડા, ઘેટા, ઊંટ, બકરા વગેરે પશુઓ; પોપટ, કબૂતર વગેરે પક્ષીઓનો વ્યાપાર કરવો નહિ. ટુંકમાં-કેશ (વાળ) વાળા પશુ, પક્ષી કે મનુષ્યોનો વ્યાપાર કરવો નહિ. ૧૦. વિષવાણિજ્ય : વચ્છનાગ, હડતાલ, સોમલ વગેરે કોઈપણ પ્રકારના વિષ (ઝેર) નો તથા જીવઘાતક તલવાર, બંદૂકની ગોળી, કટાર, ભાલા, શુળી, કોશ, કુહાડા, પાવડા, કોદાળી, હળ, તોપ, મશીનગન, પિસ્તોલ, તમંચા, બરછી, કરવત વગેરે શસ્ત્રોનો વેપાર કરવો નહિ. તે જ્યાં બનતા હોય ત્યાં નોકરી કરવી નહિ. (સોમલ વગેરે ખનીજ વિષ, સાપ વગેરે પ્રાણિજ વિષ અને વચ્છનાગ વગેરે વનસ્પતિજન્ય વિષ છે.) આ ઉપરાંત ડી.ડી.ટી. વગેરે ઝેરી દવાઓ; ક્લોરોફોર્મ; ઝેરી ગેસ; ઘણા જીવોને રીબાવી રીબાવીને કે મારી નાખીને બનાવાતા ઈન્જેક્શનો, દવાઓ વગેરેનો વ્યાપાર તથા ડૉક્ટરનો ધંધો પણ વિષવાણિજ્યમાં સમજવો. તે ત્યાગ કરવા યોગ્ય છે. ૧૧. યંત્રપીડનકર્મ : ખાંડણીઓ, સાંબેલું, ઘંટી, પાણીના રેંટ વગેરેનો વ્યવસાય; વાળ ઓળવાની કાંસકી વગેરેનો વ્યવસાય; તલ, શેરડી, સરસવ, એરંડા, અળસી વગેરેને ઘાણી, ફેક્ટરી વગેરે યંત્રોથી પીલવાનો વ્યવસાય; પંપ, બૉરીંગ વગેરે પાણીના યંત્રો ચલાવવાનો વ્યવસાય, વરાળ, ઘાસતેલ, પેટ્રોલ કે વીજળીના બળથી ચાલતી કોઈપણ ફેક્ટરીઓ, મીલો, કપાસ લોઢવાના જીન, પ્રેસ વગેરેનો વ્યવસાય; ખેતી માટેના, ઘાસ કાપવાના કે ખેડ કરવાના યંત્રો ચલાવવાનો વ્યવસાય. યાંત્રિક વ્યવસાયમાં પુષ્કળ ત્રસ અને સ્થાવર જીવોની હિંસા થતી હોઈ તે ત્યાજ્ય છે. ૧૨. નિર્ણાંછનકર્મ : : બળદ, ઘોડા, ઊંટ વગેરે પંચેન્દ્રિય જીવોના અંગો કે અવયવો વગેરે છેદવાનો ધંધો કરવો. જેમ-બળદ વગેરેના કાન, ગળકંબળ, શીંગડા, પૂંછડા વગેરે કાપવા, નાક વિંધવા; ઘોડાઓને આંકવા; સાંઢને બળદ કરવો, તેમને ડામ દેવા, ખસી કરવી વગેરે વ્યવસાયનો કે નોકરીનો ત્યાગ કરવો. ૧૩. દવાગ્નિદાન ઃ ખેતર વગેરેમાં સુકું ઘાસ બાળવું, ઉકરડા સળગાવવા, જંગલના બીડો સળગાવવા; કૌતુક થી જ્યાં ત્યાં અગ્નિ સળગાવવો, મરણ નિમિત્તે, ધર્મ નિમિત્તે કે પુણ્યબુદ્ધિથી દીવા વગેરે પ્રગટાવવા. આમાં ત્રસ તથા સ્થાવર જીવોની હિંસા હોઈ તે ત્યાજ્ય છે. Jain Education International For Private & Personal Use Only રસોડાનું તત્ત્વજ્ઞાન - ૬૭ www.jainelibrary.org
SR No.004851
Book TitleRasodanu Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorMalaykirtivijay
PublisherAkhil Bharatiya Swadhyaya Pith
Publication Year2003
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Food, D000, & D010
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy