SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના પ્રસ્તુત પુસ્તકમાં બે પ્રકરણ પાડવામાં આવ્યા છે. તેમાં પહેલા પ્રકરણમાં ભોજન સંબંધી માહિતી આપવામાં આવી છે. પ્રત્યેક માનવીને જીવવા માટે ભોજન-પાણીની જરૂર પડે છે. પણ દરેકે એટલું તો લક્ષમાં રાખવું જ જોઈએ કે જીવવા માટે ખાવાનું છે, ખાવા માટે જીવવાનું નથી. અલબત્ત માત્ર ખાવાના લાલચું બનીને શરીરના આરોગ્યની અને ભોજન સંબંધી હિંસાત્મક પાપની ઉપેક્ષા કરવી સારી નથી. ભોજન-પાણી એવી રીતે લેવા કે શરીરનું આરોગ્ય બગડે નહીં અને પાપથી પણ શક્ય વધુ બચી શકાય. આજે ખાવાની ફેશન વધી છે અને ખાવાની લંપટતા પણ વધી છે, પરિણામે મોટા ભાગના માનવો કોઈને કોઈ દર્દથી પીડાય છે. આજે તો સાધર્મિક ભક્તિના રસોડામાં પણ ખાવાના પાપ ઘુસ્યા છે. શું ખવાય? શું ન ખવાય ? તે અંગેનું જ્ઞાન કેટલાય દ્રસ્ટીઓ-અગ્રણીઓકાર્યકરો-રસોડું ચલાવનારાઓ વગેરેને હોતું નથી. તેથી સાધર્મિક ભક્તિસાધર્મિક વાત્સલ્ય વગેરે ધર્મના કાર્યોમાં પણ ક્યાંક ક્યાંક અભક્ષ્ય ખાનપાનનો પ્રવેશ થવા લાગ્યો છે. તીર્થકર ભગવંતોએ અને શાસ્ત્રકાર પરમર્ષિઓએ ભોજન સંબંધમાં ખૂબ માર્ગદર્શન આપેલ જ છે. મહેસાણા પાઠશાળાએ પ્રકાશિત કરેલ “અભક્ષ્યઅનંતકાય વિચાર’ પુસ્તક; પૂજ્યપાદ પ્રશાંતમૂર્તિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મ. સાહેબ દ્વારા સંપાદિત “આહાર શુદ્ધિ' વગેરે પુસ્તકો; તથા પૂજ્યપાદ શાસનપ્રભાવક આચાર્ય શ્રી હેમરત્નસૂરીશ્વરજી મ. સાહેબ દ્વારા સંપાદિત 'ડાઈનીંગ ટેબલ' પુસ્તકનો મેં અભ્યાસ કર્યો. મને ખૂબ ખૂબ જાણવા મળ્યું. તે પુસ્તકોનો અભ્યાસ કર્યા બાદ જ પ્રસ્તુત પુસ્તકનું પ્રકરણ પહેલું લખવા સમર્થ બન્યો છું. માટે તેઓનો ઋણી બન્યો છું. ટુંકાણમાં, સરળ ભાષામાં અને પાઠ પાડીને તૈયાર કરવામાં આવેલ પ્રસ્તુત. પુસ્તક સૌને માર્ગદર્શન રૂપ બની રહેશે તેવી આશા છે. - મુપાદપઘરેણુ મુનિ મલયકીર્તિ વિ. Jain Education International For Privatel)ersonal Use Only www.jainelibrary.org
SR No.004851
Book TitleRasodanu Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorMalaykirtivijay
PublisherAkhil Bharatiya Swadhyaya Pith
Publication Year2003
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Food, D000, & D010
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy