SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ દાતરી સાધનો વડે સગર્ભા સ્ત્રીના ગર્ભાશયનું મુખ પહોળું કરવામાં આવે છે. પછી એ સાધન વચ્ચેથી એક ચપ્પ કે કાતર જેવું હથિયાર અંદર નાખી તે જીવતા બાળકને તે વડે વીંધી નાખવામાં આવે છે. ગર્ભમાં તરફડતું બાળક લોહીલુહાણ થઈ અસહ્ય વેદના ભોગવી મૃત્યુ પામે છે. પછી એક ચમચી જેવા સાધનની મદદથી બાળકના ટુકડે ટુકડા બહાર કાઢવામાં આવે છે. મગજ, આંતરડા, ફેફસા, હૃદય, હાથ, પગ બધું જલદી જલદી બહાર કાઢીને નીચેની બાલદીમાં ડોક્ટરે ફેંકી દેવું પડે છે. કેમકે બહાર ગર્ભપાત માટેના ઉમેદવારોની મોટી લાઈન હોય છે. હિંસકતાની આ કેવી પરાકાષ્ટા! અંદર નાખવામાં આવતું હથિયાર કયારેક ગર્ભના માથામાં, છાતીમાં કે પેટમાં વાગવાને બદલે હાથ, પગ કે સાથળમાં ઘોંચાય ત્યારે તે બાળક જલદી મરતું નથી. તેથી બાલદીમાં ધબકતા હૃદય જોઈને ખુદ ડોક્ટરો, નર્સી અને સ્વીપરો સુદ્ધા બીજી બાજુ આંખ ફેરવી દે છે. હથિયાર કયારેક ગર્ભાશયને પણ નુકશાન કરી દે છે. તેવા કિસ્સામાં લાંબા સમય સુધી લોહી વહે છે, અંદર ચાંદુ પડે છે અને ક્યારેક સ્ત્રી ફરી કદી માતા ન બને તેવી સ્થિતિ પણ સર્જાય છે. ગર્ભપાતના બીજી એક ચુસણ પદ્ધતિ છે. ગર્ભાશયમાં એક પોલી નળીનો છેડો દાખલ કરવામાં આવે છે. એ નળી સાથે એક પંપ બેસાડેલો હોય છે. નળીના બીજા છેડે મોટી બોટલ જોડેલી હોય છે. નળીનો એક છેડો ગર્ભાશયમાં બરાબર ગોઠવ્યા પછી પંપને ઊઘાડ-વાસ કરવાથી ગર્ભનું બાળક ગર્ભમાં પછSાય છે. પેડુ, છાતી, પેટ અને મગજના પોલાણમાં આવેલા અવયવો ફાટીને વેરવિખેર થઈને બહાર આવે છે. રસોડાનું તત્ત્વજ્ઞાન - ૧૦૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004851
Book TitleRasodanu Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorMalaykirtivijay
PublisherAkhil Bharatiya Swadhyaya Pith
Publication Year2003
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Food, D000, & D010
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy