SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ એચ.આઈ.વી. (Human Immuno-deficiency Virus) એ સૂક્ષ્મ જંતુ (વાયરસ) છે. આ વાયરસ માણસના શરીરમાં દાખલ થઈને ધીમે ધીમે તેની રોગપ્રતિકારક શક્તિનો નાશ કરે છે. અને અંતે તે એઈસની ભયાનક પરિસ્થિતિને નોતરે છે, જેની હજુ સુધી કોઈ દવા શોધાઈ નથી. ફક્ત તમે તમારા ઘરને તો બચાવો! યાદ રાખો : ભારતીય જીવન અહિંસક પ્રધાન અને ધર્મપ્રધાન જીવન છે. તમે જ્યારે અહિંસાનો ભોગ લઈને હિંસા તરફ વળશો તથા ધર્મનો ભોગ લઈને ભોગવાદ તરફ વળશો, ત્યારે તમારા ઘરમાં કંઈને કંઈ અનર્થ સર્જાઈ શકે છે. ધારો કે, તમે મચ્છર વગેરે જંતુઓથી કંટાળ્યા. તેથી તમે જંતુનાશક દવાઓ છંટાવો. તો શું થાય? ‘ધ ગ્રેટર બોસ્ટન પિઝિશિયન્સ ફોર સોશિયલ રિસ્પોન્સિબિલિટી' ના અભ્યાસ-અહેવાલમાં જંતુનાશક દવાનો છંટકાવ બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટે નુકશાનકારક હોવાની ચેતવણી અપાઈ છે. દિલ્હી સ્થિત પર્યાવરણવાદી ઈકબાલ મલિકના બે અભ્યાસ-અહેવાલમાં પણ આવા તારણ આપવામાં આવ્યા હતા. બોસ્ટનના અભ્યાસ-અહેવાલમાં જણાવાયું હતું કે અમુક રસાયણોથી ગર્ભમાંના નાના બાળકને અને ઘરના નાના બાળકોમાં માનસિક ખામી સર્જી શકે છે. તેનાથી બાળકની ગ્રહણશક્તિ વિકસતી નથી અને તે એકાગ્ર બની શકતું નથી. ઔદ્યોગિક અને ઘરગથ્થુ જંતુનાશક દવાઓમાં આ પ્રકારના રસાયણો હોય છે, જેની મગજના વિકાસ પર ખરાબ અસર પડે છે. મલિકે તેમના અહેવાલમાં જણાવ્યું હતું કે જંતુનાશક દવાઓમાં ડી.ડી.ટી., બી.એસ.સી., એન્ડોસલ્ફન જેવા દ્રવ્યો વપરાય છે. તેનાથી રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે. બાળકનું ગર્ભમાં જ મોત થઈ શકે છે. જનનશક્તિ પર ખરાબ અસર પડી શકે છે. જાતીય નબળાઈ આવી શકે છે તથા કેન્સરની બિમારી પણ લાગુ પડી શકે છે. મહત્ત્વની બાબત એટલી છે કે વ્યસનો, ફેશનો, ભોગવાદ, યંત્રવાદ, જમાનાવાદ વગેરેમાંથી બહાર નીકળીને સદાચારયુક્ત, ધર્મયુક્ત, પવિત્ર અને સાદગી ભરેલી, સરળ અને અહિંસક જીંદગીની શરૂઆત કરવી જોઈએ. તો તમારા કુટુંબના સંપને, તમારા ચિત્તના આનંદને, તમારા શરીરના સ્વાથ્યને, તમારા પરલોકને કોઈ બગાડી શકશે નહીં. - રસોડાનું તત્વજ્ઞાન - ૧૦૨ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.004851
Book TitleRasodanu Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorMalaykirtivijay
PublisherAkhil Bharatiya Swadhyaya Pith
Publication Year2003
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Food, D000, & D010
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy